બે કાર વચ્ચેના અકસ્માતમાં નખત્રાણા પંથકના પટેલ પરિવારના ચાર સભ્ય, ગાંધીનગરના બે સગા ભાઇના મૃત્યુ
માણીયામિયાણા નજીકના હળવદ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે મહિલા છ વ્યકિતના મૃત્યુ નિપજ્યા હતાં. મૃતકમાં કચ્છના નખત્રાણાના નારણપર, ખેડબ્રહ્માના પટેલ પરિવારના ચાર સભ્ય અને ગાંધીનગરના બે ભાઇનો સમાવેશ થાય છે.
ગમખ્વાર અકસ્માતમાં’ હરીભાઇ દેવજીભાઇ પટેલ, નરશીભાઇ હંસરાજભાઇ પટેલ, નર્મદાબહેન નરશીભાઇ પટેલ, દેવકીબહેન નારણભાઇ રામાણી, ગાંધીનગરના સર્વિનભાઇ કિરીટભાઇ શાહ અને ચિરાગભાઇ કિરીટભાઇ શાહના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં.
આજે બપોરે માળિયામિંયાણા-હળવદ સ્ટેટ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે પુરઝડપે જઇ રહેલી એક કાર રોડ ડિવાઇડર’ ઠેકીને સામેથી આવી રહેલી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતના પગલે વાતાવરણ મરણચીસોથી ગાજી ઉઠયુ હતું. બન્ને કારનો બુકડો બોલી ગયો હતો’ અને એક મહિલા અને ચાર પુરૂષના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતાં. જયારે બે વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી. એ બન્નેને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં વધુ એક વ્યકિતનું મૃત્યુ નિપજ્યું હતું અને અકસ્માતનો મૃત્યુઆંક છ થયો હતો.
બનાવના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ગોઝારા અકસ્માતની જાણ થતા મોરબીના એસપી ડૉ. કરણરાજ વાઘેલા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં કચ્છના નખત્રાણા અને ખેડબ્રહ્માના પટેલ પરિવારના હરીભાઇ દેવજીભાઇ, નરશીભાઇ હંસરાજભાઇ, નર્મદાબહેન નરશીભાઇ, દેવકીબહેન રામાણી અને ગાંધીનગરના સર્વિન શાહ, ચિરાગ શાહના મૃત્યુ થયાનું અને વિમળાબહેન હરીભાઇ પટેલને ગંભીર ઇજા થયાનું ખુલ્યું હતું. અકસ્માતમાં એક દંપતીનું મૃત્યુ થયાનું અને એક દંપતી ખંડિત થયાનું જણાવાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
