CIA ALERT

OPEN કેટેગરીની સવર્ણ જાતિઓના ઉત્થાન માટે શૈક્ષણિક અને આર્થિક યોજનાઓ

Share On :

લેખક  સી.એ. રૂપીન પચ્ચીગર

ડીરેકટર

ગુજરાત બિનઅનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ

ગુજરાત રાજય સરકાર દ્વારા હાલમાં બિન અનામત વર્ગ એટલે કે સવર્ણ જાતિઓ માટે વિવિધ યોજનાઓની જાહેરાત થઈ છે. હાલ પર્યંત અનામત વર્ગ એટલે કે એસ.સી., એસ.ટી. અને ઓબીસી માટે અનેક યોજનાઓ રાજય દ્વારા બહાર પાડવામાં આવી હતી અને એનો લાભ અનામત વર્ગની જ્ઞાતિઓને મળે છે. પરંતુ હવે ગુજરાત રાજય સરકાર દ્વારા બિન અનામત વર્ગના લોકો એટલે સવર્ણ જ્ઞાતિઓને પણ એની આર્થિક રીતે નબળા કુટુંબો માટે મદદ થાય અને સવર્ણ જ્ઞાતિના આર્થિક રીતે નબળા બાળકોને શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓને લાભ મળે એવા હેતુથી આઠ પ્રકારની યોજના જાહેર કરવામાં આવી છે.

ગુજરાત રાજય સરકાર દ્વારા “ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ” ની રચના કરવામાં આવી છે. જેના ચેરમેન, વાઈસ ચેરમેન અને પાંચ ડિરેકટર તથા મેનેજીંગ ડિરેકટરની એપોઈન્ટમેન્ટ કરવામાં આવી છે. આ નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્કીમને નિગમની વેબ સાઈટ www.Gueedc.gujarat.gov.in  પર મૂકવામાં આવી છે. આ વેબ સાઈટ પર વિવિધ સ્કીમની વિસ્તૃત માહિતી, ફોર્મ અને અરજી કરવાની પધ્ધતિ પણ જણાવવામાં આવી છે. બિન અનામતમાં આવતો કોઈપણ વિદ્યાર્થી કે વ્યકિત આ સ્કીમનો લાભ થઈ શકશે.

બિન અનામત વર્ગમાં કોણ આવી શકે ?

જે વ્યકિત એસ.સી., એસ.ટી, ઓબીસીમાં ન આવતો હોય તે વ્યકિત બિન અનામત વર્ગની સ્કીમનો લાભ લઈ શકે. એટલે કે એસ.સી., એસ.ટી. અને ઓબીસી સિવાયની તમામ જ્ઞાતિઓને આ સ્કીમનો લાભ મળશે. એક અંદાજ મુજબ ૫૯ જ્ઞાતિઓને આ સ્કીમનો લાભ મળશે.

સ્કીમનો લાભ લેવા શું કરવું ?

સ્કીમનો લાભ લેવા એણે કલેકટરશ્રી અથવા તેના સમકક્ષ જિલ્લા અધિકારી પાસેથી બિન અનામત વર્ગમાં આવો છો એવુ પ્રમાણપત્ર મેળવવુ પડશે અને અરજી સાથે જોડવુ પડશે. તદુંપરાંત તેની આવકનો દાખલો પણ મેળવી અરજી સાથે જોડવો પડશે. વેબ સાઈટ પર જે તે જિલ્લા અધિકારીના નામ, સરનામા, ટેલીફોન નંબર આપ્યા છે. તેનો સંપર્ક કરી ત્યાં અરજી પહોંચાડવી પડશે. અરજી સાથે જરૂરી તમામ દસ્તાવેજ અને પૂરાવા આપવાના રહેશે.

વિવિધ સ્કીમ :

રાજય સરકાર દ્વારા આઠ પ્રકારની સ્કીમ મૂકવામાં આવી છે. જેમાં ત્રણ સ્કીમ લોન માટેની છે. એક સ્કીમ વ્યાજ સહાયની અને ચાર સ્કીમ આર્થિક સહાયની છે.

૧.      વિદેશ અભ્યાસ લોન

અ.  યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણો :

ધોરણ ૧૨ પછી MBBS માટે, ડિપ્લોમા પછી ડિગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે અને રીસર્ચ જેવા ટેનીકલ,  પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને રૂ. ૧૫ લાખ સુધીની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.

બ.  લાયકાત :  આ માટે વિદ્યાર્થીએ ધો. ૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ ગુણાંક મેળવેલ હોવા જોઈએ.

.  વ્યાજનો દર : ૪ ટકા લેખે સાદું વ્યાજ

ડ.  આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

ઈ.  લોનની ભરપાઈ :

(૧) રૂ. ૫ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

(૨) રૂ. ૫ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના ૧ વર્ષ બાદ ૬ વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

(૩) ભરપાઈ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા કરવામાં આવશે.

(૪) લોન લેનાર નિશ્વિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચૂકવણી કરી શકશે.

(૫) અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવા પાત્ર રહેશે નહિ.

ઉ. જામીન/દસ્તાવેજ :

(૧) સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીનખત રજુ કરવાનું રહેશે.

(૨) સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કરતાં વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા કોઈ સગાં સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

(૩) દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

૨.      શૈક્ષણિક અભ્યાસ યોજના

અ.  યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણો :

રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો ઈજંનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમયોપેથીક, ફિઝયોથેરેપી, વેટરનરી, નર્સીગ વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે અભ્યાસક્રમની કુલ ટયુશન ફી અથવા ૧૦ લાખ એ બે પૈકી જે ઓછુ હોય તે રકમની લોન નિગમ તરફથી આપવામાં આવશે. પરંતુ આ સ્કીમનો લાભ બી.બી.એ., બી.કોમ, બીએસસી, બીએ વગેરે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળી શકશે નહી. અરજદાર બિનઅનામત વર્ગના હોવા જોઈએ.

બ.  લાયકાત : વિદ્યાર્થીએ ધો. ૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ ગુણાંક પ્રાપ્ત કરેલા હોવા જોઈએ.

ક.  વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ

ડ.  આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક રૂ. ૩ લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે.

ઈ.  લોનની ભરપાઈ :

(૧) રૂ. ૫ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

(૨) રૂ. ૫ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના ૧ વર્ષ બાદ ૬ વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

(૩) ભરપાઈ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા કરવામાં આવશે.

(૪) લોન લેનાર નિશ્વિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચૂકવણી કરી શકશે.

(૫) અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે

વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવા પાત્ર રહેશે નહિ.

ઉ. જામીન/દસ્તાવેજ :

(૧) સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીનખત રજુ કરવાનું રહેશે.

(૨) સમગ્ર કોર્ષની લોનની કુલ  રકમ રૂ. ૭.૫૦ લાખ કરતાં વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા કોઈ સગાં સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

(૩) દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

૩.      સ્વ રોજગારલક્ષી યોજના         

       અ.  યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણો

  • રીક્ષા લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે સ્વ રોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનીટ કોસ્ટ
  • ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન (જરૂરી સ્ટ્રકચર સહિત) મેળવવા માટે ઓનરોડ યુનીટ કોસ્ટ
  • વ્યવસાય જેવા કે કરીયાણાંની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઈપણ સ્વરોજગારલક્ષી યોજના માટે

ઉપરોકત ત્રણેય યોજના માટે રૂ. ૧૦ લાખ અથવા ખરેખર થનાર ખર્ચ એ બેમાંથી જે ઓછુ હોય તેટલી રકમની લોન મળી શકશે.

બ.  કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

ક. ધિરાણના માપદંડ :

(૧) વાહન માટે લોનની યોજનામાં અરજદાર પાસે પાકુ લાયસન્સ હોવુ જોઈએ.

(૨) મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઈપોથીકેશન) કરવાનું રહેશે.

(૩) વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા હપ્તામાં લોન ભરવાની રહેશે.

(૪) નાના વ્યવસાયકારોએ લોન મેળવ્યાના ત્રણ માસમાં વ્યવસાય શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.

ડ. જામીન/દસ્તાવેજ :

(૧) લોનની રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીનખત રજુ કરવાનું રહેશે.

(૨) લોનની રકમ રૂ. ૭.૫૦ લાખ કરતાં વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા કોઈ સગાં સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

(૩) દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.

(૧) ગુજરાતના ડોમીસાઈલ વતની હોવા જોઈએ. અને બિન અનામત વર્ગના હોવા જોઈએ.

(૨) અરજદારની ઉંમર ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુઘીની હોવી જોઈએ.

(૩) ધિરાણનો વ્યાજ દર વાર્ષિક પુરૂષ માટે ૫% સાદુ વ્યાજ અને મહિલા માટે ૪% સાદુ વ્યાજ રહેશે. પ્રતિવર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

૪.    યોજનાનું નામ : સ્નાતક તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય.

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો :

  • તબીબ, વકીલ, ટેકનીક્લ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લીનીક, લેબોરેટરી, રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો તેને બેન્ક પાસેથી લીધેલ રૂ. ૧૦.૦૦ લાખ સુઘીની લોન પર ૫ % વ્યાજ સહાય મળવા પાત્ર થશે.

        લાયકાતના ધોરણો :

  • વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
  • અરજદાર ગુજરાતના ડોમીસાઈલ વતની હોવા જોઈએ. અને બિન અનામતવર્ગના હોવા જોઈએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુઘીની હોવી જોઈએ.
  • બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજુ કરવાના રહેશે.
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

 યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણૉ :

  • બિનઅનામતવર્ગના વિદ્યાર્થીઓ જે સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા

મેડીકલમાં  અભ્યાસ કરતાં હોય અને પોતાના પરિવારથી દુર, પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂ. ૧૨૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.

  • કોઈપણ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

૬.    યોજનાનું નામ : ટયુશન સહાય

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો :

  • બિનઅનામતવર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.
  • કોઈપણ સમાજ/ટ્રસ્ટ/સેવાભાવી સંસ્થા દ્વારા સંચાલિત ટયુશન/કોચીંગ કલાસમાં અભ્યાસ કરતાં લાયકાત ધરાવતાં વિદ્યાર્થીઓને ઉપર મુજબની સહાય મળવાપાત્ર થશે.
  • લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ.
  • દરેક વર્ષમાં માત્ર એકજ વાર સહાય મળવાપાત્ર થશે.
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ

૭.    યોજનાનું નામ : જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય.

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો :

  • બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) ની તૈયારીના કોચીંગ માટે, ધોરણ-૧૦ માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૦,૦૦૦ અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછુ હોય તે કોચીંગ સહાય આપવામાં આવશે.
  • લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવેલ હોવા જોઈએ.
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

 ૮.    યોજનાનું નામ : સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય

 યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણૉ :

 *      બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી(G.P.S.C.) વર્ગ-૧,  વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને, તાલીમાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછુ હોય તે સહાય તરીકે મળવાપાત્ર થશે.

  • લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૬૦ ટકા કે તેથી વધુ.
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :