CIA ALERT

સુરતમાં હવે એવરેજ 14-14 માળની હાઇરાઇઝ બિલ્ડીંગો બનવા માંડશે

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.3 નવેમ્બર 2018ના રોજ ગુજરાત સરકારે બાંધકામના નીતિ નિયમો એટલે કે GDCRમાં બિલ્ડર્સ એસોસીએશન તેમજ કેટલાક અધિકારીઓએ કરેલા સૂચનો સ્વીકારીને તેમાં સુધારા કરવાનું નોટિફિકેશન જાહેર કરતા જ ખાસ કરીને બિલ્ડર્સ, ડેવલપર્સની દિવાળી સુધરી જવા પામી છે. (www.cialive.in)  સુરતમાં અત્યાર સુધી હાઇરાઇઝ બિલ્ડીંગ એવરેજ 10-12 માળના બનતા હતા એટલે કે મોટા ભાગે આટલી જ મંજૂરી અપાતી હતી, પણ હવે તા.3જી નવેમ્બર 2018થી અમલી બનેલા નવા GDCR ને કારણે સુરતમાં હવે હાઇરાઇઝ બિલ્ડિંગની એવરેજ હાઇટ 14 માળની થઇ જશે. શહેરના એવા બાંધકામ પ્રોજેક્ટસ કે જ્યાં હાલમાં બાંધકામ શરૂ છે એ બિલ્ડર્સ પણ આ સુધારાઓની રાહ જોતા હતા, સ્વાભાવિક છે કે 12 માળનું બિલ્ડીંગમાં 14 માળની પરવાનગી મળે તો અસાધારણ નફો મળે તેમ છે. પછી જેવા જેના પ્રોજેક્ટ્સ. (www.cialive.in)

ગુજરાતમાં પ્રવર્તમાન GDCRમાં તા.3જી નવેમ્બર 2018થી કેવા પ્રકારના ફેરફાર કરાયા તેની વિસ્તૃત માહિતી અત્રે ઉપલબ્ધ છે.

  • શહેરી વિસ્તારોમાં વર્ટિકલ ડેવલપમેન્ટ માટે GDCRમાં ફેરફાર કરતાં નોટિફિકેશનને સીએમની આખરી મંજૂરી
  • સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભાવનગર જેવા મહાનગરો, મહેસાણા, ધોરાજી, જેતપુર, વાપી, વલસાડ, નવસારી જેવા શહેરોમાં આવાસ નિર્માણમાં રાહત (www.cialive.in)
  • ગામતળમાં અગ્રભાગે ૨૫ ટકા ખુલ્લી જગા રાખવી પડતી હવે તેમાં હવે ફ્રન્ટ ઉપરાંત ગમે તે સાઇડમાં ખુલ્લી જગા રાખી શકાશે
  • ૧૨ મીટર કે તેથી પહેળા રસ્તા ઉપર મકાનની ઊંચાઇ ૨૫ મીટરથી વધારી ૩૦ મીટર રાખી શકાશે (www.cialive.in)
  • ૧૮ મીટર કે તેથી પહેળા રસ્તા ઉપર હવે ૨૫ મીટરને બદલે ૪૫ મીટર સુધી ઊંચાઇના મકાન બાંધી શકાશે
  • આ છુટછાટથી ગ્રાઉન્ડનો ભાગ ખુલ્લા રહેશે, મકાનના આયોજન પ્રમાણે માર્જીન છોડી વધુ ઊંચા મકાન બાંધી શકશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.3 નવેમ્બર 2018ના રોજ ગુજરાતના મહાનગરો ઉપરાંત નગરો અને અર્ધ શહેરી, અર્બન વિસ્તારોમાં વસતા તથા રહેવા ઇચ્છતા પરિવારો માટે બાંધકામના નિયમોને વધારે સરળ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. નગરો, મહાનગરોમાં વધુ (www.cialive.in) સુવિધાવાળા આવાસો ઉપલબ્ધ બની શકે તેવા પ્રકારના બાંધકામના નિયમો (GDCR)માં ફેરફાર કરતા નોટિફિકેશનને મંજૂરી આપી છે.

(પ્રતિકાત્મક તસ્વીર)

સુરત સમેત અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા વગેરે તેમજ મહેસાણા, ધાનેરા, ડીસા, પાટણ, ધોરાજી, જેતપુર, વાપી, વલસાડ, નવસારી જેવા અનેક નગરોમાં વર્ટિકલ હાઉસિંગ ડેવલપમેન્ટને વધારે સુગમતા ઊભી થશે. મુખ્યમંત્રીએ ગ્રાઉન્ડમાં વધુ ખુલ્લી જગા ઉપલબ્ધ થાય (www.cialive.in) તેવા આશયથી બિલ્ડિંગ હાઇટ વધારવાની છુટ આપવા સાથે મકાનના આયોજનને ધ્યાને રાખી ખુલ્લી જગા છોડવાની છુટછાટ અપાશે. જેથી નાગરિકો પોતાની જરૂરિયાત મુજબ મકાનનું બાંધકામ કરી શકશે.

રાજ્યમાં બાંધકામના નિયમોને પ્રજાલક્ષી બનાવવા માટે વખતોવખત સમાજના વિવિધ વર્ગોમાંથી આવતી રજૂઆતોને પગલે સુધારા કરવામાં આવ્યા છે તેવી જ રીતે થોડા સમય પૂર્વે અમલી બનાવાયેલી રાજ્યભરના એક જીડીસીઆરમાં હજુ કેટલાક સુધારા કરવા જોઇએ તેવી રજૂઆતો મુખ્યમંત્રી વિજય રૂપાાણી સમક્ષ આવી હતી. (www.cialive.in) આ સંદર્ભે શનિવાર તા.3 નવેમ્બર 2018ના રોજ બપોરે શહેરી વિસ્તાર વિભાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ કેટલાક મહત્વના સુધારા સાથેના નોટિફિકેશનને મંજૂરી આપી છે.

શહેરી વિકાસ વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે, મહાનગરો અને નગરોમાં ૧૨ મીટર કે તેથી વધુ પહોળાઇના માર્ગો ઉપર હાલ ૨૫ મીટર સુધીની ઊંચાઇવાળા બાંધકામને મંજૂરી મળતી હતી. હવે ૩૦ મીટર સુધીનું બાંધકામ તેને મળેલી એફએસઆઇની મર્યાદામાં બાંધી શકશે. આ જ રીતે ૧૮ મીટર કે તેથી વધુ પહોળા માર્ગ ઉપર ૨૫ મીટરને બદલે હવેથી ૪૫ મીટર એકલે કે સાત ને બદલે ૧૪ માળ સુધીના આવાસ બાંધી શકાશે. (www.cialive.in) આ છુટછાટને કારણે મહાનગરોની જેમ નગરોમાં થઇ રહેલા વિકાસને વધારે બળ મળશે. ઊંચાઇમાં વધારો કરવાની છુટ ગ્રાઉન્ડનો ભાગ વધુ ખુલ્લો રાખી શકે તેવા હેતુથી અપાઇ છે.

અમદાવાદમાં ૧૪ માળ સુધીની છુટછાટ અપાયેલી છે પરંતુ અન્ય મહાનગરો, નગરોમાં જીડીસીઆરની જોગવાઇ મુજબ વધુ છુટછાટ મળતી ન હતી. હવે તેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે. સરકારના આ નિર્ણયના કારણે હાઉસિંગ સેક્ટરમાં વર્ટિકલ ડેવલપમેન્ટમાં વધારે સરળતા ઊભી થશે અને નાગરિકોને સારા હવા ઉજાસવાળા આવાસો (www.cialive.in) શક્ય બનશે.

આ ઉપરાંત ગામોમાં ગામતળ પાસે બનતાં આવાસોમાં ગામતળના અગ્રભાગે ૨૫ ટકા જગા ખુલ્લી રાખવી ફરજિયાત હતી. હવે તેમાં સુધારો કરી અગ્ર ભાગે નિયત છુટછાટ પછી બાકીની જગા તે પોતાના આવાસની કોઇપણ સાઇડમાં રાખી શકશે. (www.cialive.in) આવી જ રીતે ગામડાઓ, નગરોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે અપાતા પ્લોટ્સ અથવા તો ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતા પ્લોટ્સના માર્જીનના ધોરણોમાં કેટલાક મહત્વના ફેરફાર કરાયા છે. આનો લાભ ધોરાજી, જેતપુર, થરાદ, ડીસા, ધાનેરા, મહેસાણા, પાટણ, નવસારી, વાપી, વલસાડ, પાવી જેતપુર, હાલોલ, ગોધરા સહિતના અનેક નગરોને મળશે.

મહાનગરો, નગરોમાં હવે વધુ ઊંચાઇવાળા આવાસો બની શકશે

— હાલ ૧૨ મીટર કે તેથી વધુ પહોળા માર્ગો ઉપર ૨૫ મીટરની ઊંચાઇવાળા આવાસ બની શકતા હતા. હવે ૩૦ મીટરની ઊંચાઇવાળા મકાન બની શકશે. જેનાથી બેઝમેન્ટનો ભાગ વધારે ખુલ્લો રહેશે. (www.cialive.in)
— હાલ ૧૮ મીટર કે તેથી વધુ પહોળાઇવાળા માર્ગો પર ૨૫ મીટરની ઊંચાઇવાળા આવાસ બનાવી શકાતા હતા. હવે આ મર્યાદા વધારી ૪૫ મીટર કરાતાં ૧૪ માળ સુધીના આવાસ બની શકશે. વર્ટિકલ ડેવલપમેન્ટ વધશે. (www.cialive.in)
— હાલ ગામતળના અગ્રભાગે ૨૫ ટકા જગા ખુલ્લી રાખવી પડતી હતી. હવે ફ્રન્ટ સાઇડ ઉપરાંત કોઇપણ ભાગે કુલ ૨૫ ટકા જગા ખુલ્લી રાખી શકાશે. જેથી ગામડાઓમાં ગામતળ પાસે બનતાં આવાસો વધારે હવા ઉજાસ, સુવિધાવાળા બની શકશે.

ઔદ્યોગિક હેતુના નાના પ્લોટના માર્જીનમાં મહત્વના ફેરફારથી રાહત

–ઔદ્યોગિક હેતુ માટેના નાના પ્લોટોમાં ૫૦૦ ચો.મી. સુધીના રસ્તા સિવાય ફલ્ત ગમે તે એક બાજુ ૩.૦ મીટર માર્જીન છોડી શકાશે. જે અગાઉ માત્ર ફ્રન્ટ સાઇડ જ હતું. (www.cialive.in)
–૫૦૦ ચો.મી થી ૧૦૦૦ ચો.મી.ના પ્લોટમાં રસ્તા સિવાય બે બાજુ ૩ મીટર માર્જીન છોડી શકાશે.
–નાની નગરપાલિકાઓમાં જ્યાં ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) હોતા નથી એવા વિસ્તારોમાં ગામતળથી ૨૦૦ મીટર બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે પ્લોટ વિકસાવી શકાશે. જે અગાઉ ૫૦૦ મીટર એટલે કે અડધો કિમી દૂર રાખવો પડતો હતો. આ છુટછાટથી ગામડાઓ અથવા તો ઓછી વસતિવાળા અર્ધ શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ વિકસશે અને લોકોને ઘરઆંગણે રોજગારની તક વધશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :