CIA ALERT

IPL 21 14/4/21 : RCB vs SRH :

Share On :

વિજય સાથે આઇપીએલની 14મી સિઝનનો પ્રારંભ કરનાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઇરાદો બુધવારે રમાનાર તેના બીજા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ સફળતાનો આ ક્રમ જાળવી રાખવાનો રહેશે. આરસીબીએ પહેલા મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને હાર આપીને તેના અભિયાનનો પ્રારંભ કર્યોં હતો. જ્યારે ડેવિડ વોર્નરના સુકાનીપદ હેઠળની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને પહેલા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ હાર સહન કરવી પડી હતી. તેનું લક્ષ્ય પ્રથમ જીત હશે. જો કે આરસીબી સામે જીત મેળવવા માટે સનરાઇઝર્સે ચમકદાર દેખાવ કરવો પડશે.

પહેલા મેચના શાનદાર દેખાવ બાદ આરસીબીની ટીમમાં ઇન ફોર્મ ઓપનર દેવદત્ત પડીક્કલની વાપસી થશે. આથી ટીમ વધુ મજબૂત બનશે. પડીક્કલ કોરોનામુકત થયો હતો અને રમવા તૈયાર છે. પહેલા મેચમાં તે રમી શકયો ન હતો. તેણે પાછલી સિઝનમાં આરસીબી તરફથી સૌથી વધુ 473 રન બનાવ્યા હતા. આ પછી ડોમેસ્ટીક સિઝનમાં મુશ્તાક અલી ટ્રોફીમાં 218 અને વિજય હઝારે ટ્રોફીમાં 737 રન ખડકયાં હતા.

આથી કોહલી સાથે સુંદરને ઇનિંગની શરૂઆત કરી હતી. આરસીબી આવનારા મેચોમાં ઓસ્ટ્રેલિયન સ્પિનર આડમ ઝમ્પા અને મોહમ્મદ અઝહરૂદીનને ઉતારી શકે છે. આરસીબીનો બેટિંગનો દારોમદાર ફરી કપ્તાન કોહલી અને સ્ટાર ડિ’વિલિયર્સ પર હશે. કાંગારૂ ફટકાબાજ મેકસવેલ તેની ઉપયોગિતા સાબિત કરવા માંગશે. મીડિયમ પેસેર હર્ષલ પટેલે પહેલા મેચમાં 27 રનમાં પ વિકેટ લીધી હતી. તે ફરી આવું પ્રદર્શન કરવા માંગશે.

હૈદરાબાદના ઓપનર કપ્તાન ડેવિડ વોર્નર અને વિકેટકીપર રિધ્ધિમાન સાહા કેકેઆર વિરૂધ્ધ નિષ્ફળ રહ્યા હતા. બન્ને ફોર્મમાં વાપસીની કોશિશ કરશે. જોની બેયરસ્ટો લગભગ વોર્નર સાથે દાવનો પ્રારંભ કરશે. તેણે પહેલા મેચમાં અર્ધસદી કરી હતી. જ્યારે મનીષ પાંડે 44 દડામાં 61 રને નોટઆઉટ રહ્યો હતો. કેન વિલિયમ્સનનું આરસીબી સામેના મેચમાં રમવું સંભવ નથી. કારણ કે તે હજુ પૂરી રીતે ફિટ નથી. કેકેઆર સામેના મેચમાં ભુવનેશ્વર સહિતના હૈદરાબાદના મુખ્ય બોલરોએ ઘણા રનનો ખર્ચ કર્યોં હતો. તેઓ આ વખતે વિકેટ લેવા પર અને રન અટકાવવા પર ધ્યાન આપશે.કે દુનિયા ભલે કોરોના 19 વિરોધી રસીના 78 કરોડ ડોઝ આપી ચૂકી હોય પરંતુ આ મહામારીનો અંત હજુ ઘણો દૂર છે. જો કે જનઆરોગ્યલક્ષી પગલાંઓ દ્વારા તેને કાબૂ કરી શકાય છે.

ભારત સહિત દુનિયાભરમાં સંક્રમણમાં ઝડપથી થઈ રહેલા વધારા અંગે કહ્યંy કે જાહેર સ્વાસ્થ્ય ઉપાયોમાં સાતત્યની ખામીને કારણે કેસ અને મૃત્યુઆંક વધ્યો છે. ઉપરાંત દુનિયાભરમાં લોકોમાં આત્મસંતુષ્ટિ અને ભ્રમની સ્થિતી જવાબદાર છે. રસી અપાઈ રહી છે પરંતુ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ કારગર ઉપાય હોવાનું તેમણે જણાવ્યું હતુ

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :