આચારસંહિતાનો ભંગ અન્નાદ્રમુકએ સ્ટાલિન, કમલ હાસન સામે સંખ્યાબંધ ફરિયાદ કરી
સત્તાધારી એઆઇએડિએમકેએ બુધવારે ચૂંટણીપંચનો સંપર્ક સાધીને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ડિએમકેના પ્રમુખ એમ કે સ્ટાલિને પ્રચાર બંધ કરવાના સમય દરમિયાન મીડિયાને સંબોધીને આડકતરી રીતે પ્રચાર કર્યો હતો અને એ રીતે આચારસંહિતાનો ભંગ કર્યો હતો. આ સિવાય પક્ષ તરફથી મુખ્ય ચૂંટણી અધિકારી સત્યબ્રત સાહુને એમએનએમના સ્થાપક કમલ હાસને મૂકેલી ચોક્કસ જાહેરાત સહિત અન્ય અનેક ફરિયાદો કરી હતી.

પક્ષના પ્રવક્તા આર એમ બાબુ મુરગાવેલે જણાવ્યું હતું કે સ્ટાલિને એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અન્ય પક્ષના નેતાઓને વખોડયા હતા અને એ આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું ગણાય. પ્રચાર બંધ કરવાના સમય મંગળવારે સાંજે 6 વાગ્યાથી શરૂ થયો હતો અને સ્ટાલિનનો ઉદ્દેશ મીડિયાને સંબોધીને આડકતરી રીતે પ્રચાર કરવાનો હતો.
આ સિવાય ડિએમકેના નેતા પાસેથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવ્યા બાદ ચૂંટણીપંચે વેલ્લોર બેઠક માટેની 18મી એપ્રિલની ચૂંટણી રદ કરી હતી અને એ વખતે સ્ટાલિને ચૂંટણીપંચને વખોડયું હતું. એ વખતે પણ સ્ટાલિને આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ પણ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. કાંચીપુરમમાં સ્ટાલિને મતદારોને નૉટ લઇને મત આપવાની હાકલ કરી હતી. એ પણ આચારસંહિતાનો ભંગ કર્યો ગણાય.
કમલ હાસનના પક્ષ તરફથી 16મી એપ્રિલે અખબારોમાં આપવામાં આવેલી જાહેરાતમાં ન હોવા જોઇએ એવા ફોટાઓ હોવાથી કમલને એ જાહેરાતો બંધ કરવા માટેનો આદેશ આપવાની માગણી પણ ચૂંટણીપંચ સમક્ષ પક્ષે કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


