ભરૂચ બેઠક પરથી જૂના જોગી અહેમદ પટેલ મેદાનમાં ઊતરશે?
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. બન્ને પાર્ટીઓ ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઈને અસમંજસમાં છે. ગુજરાતના રાજકારણમાં મોટો ભૂંકપ આવી શકે છે. કૉંગ્રેસના હજુ ૧૩ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ત્યારે અહેમદ પટેલને ભરૂચથી લોકસભા ચૂંટણી લડાવવા માટે કૉંગ્રેસે ચક્રોગતિમાન કર્યા છે. કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે મોટો ખુલાસો કર્યો હતો.
અહેમદ પટેલનું નામ સાંભળતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજીવ સાતવે જણાવ્યું હતું કે, અમે અહેમદભાઈને ચૂંટણી લડવા રજૂઆત કરી છે. કૉંગ્રેસ અધ્યક્ષ બે દિવસમાં નિર્ણય કરશે. તેમણે ઉમેર્યું હતું કે, અહેમદભાઈ લડે તો ભરૂચમાં જીત નક્કી ગણાય છે. અન્ય બેઠકો પર પણ કૉંગ્રેસને સારું પરિણામ મળશે. સાથે તેમને એવું પણ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકીય સમીકરણો પણ બદલાય તેવી શક્યતા છે.
જોકે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા અંગે અહેમદ પટેલે આ અંગે કોઈ પૃષ્ટિ કરી નથી. અહેમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડશે તો કૉંગ્રેસમાં નવી ઊર્જા આવશે. અહેમદ પટેલ પાસે રાજનીતિનો બહોળો અનુભવ છે જેનો ગુજરાત કૉંગ્રેસને મોટો ફાયદો થશે. અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવી કે નહિ તે આગામી સમયમાં નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ ઘણાં વર્ષોથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. છેલ્લા ૨૪ વર્ષથી અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ છે. ૧૯૮૯ અને ૧૯૯૧ની લોકસભા ચૂંટણીમાં અહેમદ પટેલે હારનો સામનો કર્યો હતો. અહેમદ પટેલ આ પહેલા પણ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
