મધ્ય ગુજરાતની વડોદરા સુરક્ષિત ભાજપ માટે સુરક્ષિત
લોકસભાની ચૂંટણી માટે મધ્યગુજરાતની પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો આ ચૂંટણીમાં ભાજપ માટે પડકારરૂપ બની શકે તેમ છે. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ભરૂચ બેઠકોમાંથી વડોદરા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. ૨૦૧૪માં તમામ બેઠક પર ભાજપનો વિજય થયો હતો, પણ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો બાદ નવા રાજકીય સમીકરણ સર્જાઈ શકે તેમ છે. ભાજપ માટે પંચમહાલ, ભરૂચ, દાહોદ અને છોટાઉદેપુરની બેઠક પડકાર રૂપ રહેશે તેમ મનાય છે.
એન્ટિ ઇન્કમ્બન્સી ફેક્ટર આદિવાસી પટ્ટામાં ભાજપને નવો પડકાર આપી શકે તેમ છે. ૨૦૧૪માં મધ્ય ગુજરાતમાં તમામ પાંચેય બેઠકો ભાજપને ફાળે રહી હતી, જ્યારે ૨૦૧૭માં વિધાનસભાની ૩૫ બેઠકોમાંથી ભાજપને ફાળે ૨૦ બેઠકો, કૉંગ્રેસને ફાળે ૧૧, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ને ૨ અને ૨ બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી. પાછળથી લુણાવાડાના અપક્ષ ધારાસભ્યે ભાજપને ટેકો જાહેર કર્યો હતો, જ્યારે મોરવાના ધારાસભ્યએ કૉંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. વડોદરામાં ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડીને જંગી સરસાઈથી વિજયી થયા હતા. વડોદરા ૨૦૧૪ લોકસભા બેઠક પરથી ભાજપને ૭૧.૯૩ ટકા મત મળ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૨૬.૯૪ ટકા મત મળ્યા હતા. તેમ જ ૨૦૧૪માં યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપના રંજનબેન ભટ્ટ ૭૨.૭૫ ટકા મત સાથે જંગી સરસાઈથી વિજેતા થયા હતા, જ્યારે કૉંગ્રેસને ફક્ત ૧૫.૩૫ ટકા મત જ મળ્યા હતા. આ ઉપરાંત લોકસભા ૨૦૦૯માં ભાજપને ૫૭.૪૦ ટકા મત મળ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૩૯.૧૯ ટકા મત મળ્યા હતા. તે પૂર્વે લોકસભા ૨૦૦૪માં ૩૮.૪૫ ટકા મત ભાજપને ફાળે ગયા હતા, જ્યારે ૪૭.૪૪ ટકા મત કૉંગ્રેસને મળ્યા હતા. બીજી તરફ પંચમહાલમાં પ્રભાતસિંહ સોલંકી વિજયી થયા હતા. ૨૦૧૫ લોકસભા ચૂંટણીમાં ભાજપને ૫૪.૪૫ ટકા મત મળ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૩૬.૧૭ ટકા મત મળ્યા હતા. તેમ જ ૨૦૦૯ લોકસભામાં ભાજપને ૪૬.૫૦ ટકા મત સામે કૉંગ્રેસને ૪૬.૧૫ ટકા મત મળ્યા હતા.
એવી જ રીતે ભરૂચ લોકસભા ૨૦૧૪માં મનસુખ વસાવા વિજય થયા હતા તેઓને ભાજપ વતી ચૂંટણી લડતા ૫૧.૭૭ ટકા મત મેળવ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૩૭.૩૨ ટકા મત મળ્યા હતા. લોકસભા ૨૦૦૯ના પરિણામ જોઈએ તો ભાજપને ૪૧.૫૦ ટકા મત જ્યારે કૉંગ્રેસને ૩૭.૮૭ ટકા મત મળ્યા હતા. તેવી જ રીતે ૨૦૦૪ લોકસભામાં ભાજપને ૪૪.૦૧ ટકા મત અને કૉંગ્રેસને ૩૩.૪૦ ટકા મત મળ્યા હતા, જ્યારે લોકસભા ૨૦૧૪માં છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવા ૫૫.૨૪ ટકા મત સાથે વિજયી બન્યા હતા, જેની સામે કૉંગ્રેસને ૩૮.૯૧ ટકા મત મળ્યા હતા. ૨૦૦૯માં ૪૬.૨૦ ટકા મત ભાજપને અને કૉંગ્રેસને ૪૨.૬૭ ટકા મત મળ્યા હતા. તેવી જ રીતે ૨૦૦૪ લોકસભામાં ભાજપને ૩૭.૮૪ ટકા મત અને કૉંગ્રેસને ૪૪.૩૫ ટકા મત મળ્યા હતા. દાહોદ લોકસભા-૨૦૧૪ પર નજર નાખીએ તો જશવંતસિંહ ભાભોર ૫૬.૭૭ ટકા મત સાથે વિજયી થયા હતા જેની સામે કૉંગ્રેસને ૩૧.૧૮ ટકા મત મળ્યા હતા. ૨૦૦૯ લોકસભામાં ભાજપને ૩૫.૯૪ ટકા મત અને કૉંગ્રેસને ૪૬.૮૯ ટકા મત મળ્યા હતા, જ્યારે ૨૦૦૪માં ૪૪.૬૬ ટકા મત ભાજપને જેની સામે ૪૩.૯૯ ટકા મત કૉંગ્રેસને મળ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
