ઓરી-અછબડાની રસીને કારણે નપુંસકતાની અફવા, યુપીના 70 મદ્રેસાઓનો રસી માટે ઇન્કાર
ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ કર્યો બાળકોને રસી મુકાવવાનો ઇનકાર

પશ્ચિમી ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ તેમના સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મુકાવવાનો ઇનકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારના આરોગ્ય વિભાગે મદરેસાઓના સંચાલકો પાસે ત્યાં ભણતા સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મૂકવાની પરવાનગી માગી હતી, પરંતુ સંચાલકોએ એવી પરવાનગીનો ઇનકાર કર્યો હતો.
પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠના પરિસરની ૨૭૨ મદરેસામાંથી ૭૦ મદરેસાઓએ તેમ જ બિજનૌર અને મુરાદાબાદની મદરેસાઓએ બાળકોના રસીકરણ માટે પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના ઇનકારના કારણ વિશે મેરઠ જિલ્લાના વૅક્સિનેશન ઑફિસરે જણાવ્યું હતું કે ‘વૉટ્સઍપ મેસેજ દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી હતી કે ઓરી-અછબડાની રસી મુકાવવાથી છોકરાઓ નપુંસક થઈ જશે. મુસ્લિમોને નપુંસક બનાવવા માટે સરકાર તેમનાં સંતાનોને ઓરી-અછબડાની રસી મુકાવે છે.’
દેશના જુદા-જુદા પ્રાંતોમાંથી રસી મુકાવ્યા બાદ અનેક સ્ટુડન્ટ્સ બીમાર પડ્યા હોવાના સમાચાર ફેલાતાં લોકોમાં ભય ફેલાયો હતો. બાળકો બીમાર પડવા માટે વૅક્સિનેશન નહીં પણ અન્ય કોઈ કારણ હોવાનું સમજાવવાનો પ્રયાસ અમારા અધિકારીઓ કરી રહ્યા છે.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


