25મી જૂન, ભારતીય લોકશાહી માટે કાળો દિન, ઇમરજન્સીની 43મી વરસી સોશ્યલ મિડીયામાં ટ્રોલ
જયેશ બ્રહ્મભટ્ટ
43મી વરસીએ ઇમરજન્સી-1975 સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ

આજથી બરાબર 43 વર્ષ અગાઉ તા.25મી જુન 1975ના દિવસે ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ રાષ્ટ્રીય કટોકટી (ઇમરજન્સી)ની જાહેરાત કરી હતી. 1977 સુધી ચાલેલી આ ઇમરજન્સીને ભારતીય લોકશાહીમાં સૌથી કલંકિત ઘટના તરીકે લેવામાં આવે છે. તા.25મી જુનને દર વર્ષે ડાર્કેસ્ટ ડે તરીકે પણ ભારતમાં ઉજવવામાં આવે છે.
-
ઇમરજન્સીની ઘોષણા તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ કરી હતું.
-
સત્તાવાર નોટિફિકેશન તત્કાલિન રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદની સહીથી ઇશ્યુ થયું હતું.
-
ઇમરજન્સી તા.25મી જુન 1975ના દિને ઇમ્પોઝ કરવામાં આવી હતી.
-
ઇમરજન્સી તા.21મી માર્ચ 1977ના દિને પરત ખેંચી લેવામાં આવી.
-
ઇમરજન્સી પહેલા કોંગ્રેસનું સંખ્યાબળ લોકસભામાં 352 સીટનું હતું.
-
ઇમરજન્સી પછી કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 153 પર સીમીત થઇ ગયું હતું.

ઇન્દીરા ગાંધીએ ભારતમાં લાદેલી એ ઇમરજન્સી આમ તો 3જી કટોકટી હતી. એ પહેલા 1962માં ચાઇના સામેની જંગ સમયે પહેલી વખત ભારતમાં ઇમરજન્સી ઘોષિત કરવાાં આવી હતી. દ્વિતીય ઇમરજન્સી 1972માં પાકિસ્તાન યુદ્ધ વખતે અને એ પછી 1975માં ઇન્દીરા ગાંધીએ રાજકીય કારણોસર ઇમરજન્સી ઘોષિત કરી હતી. ત્રીજી ઇમરજન્સી કોઇ બાહ્ય કારણથી નહીં બલ્કે દેશમાં અંદરોઅંદરના વિખવાદો ખાસ કરીને રાજકીય સ્થિરતાના અભાવે લાદવામાં આવી હોવાનો આરોપ તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધી પર મૂકવામાં આવ્યો હતો. 1975ની ઇમરજન્સી વખતે લોકસભાની ચૂંટણીઓ રદ કરી દેવામાં આવી હતી. વિપક્ષી નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. સરકાર વિરોધી દેખાવોને સખત હાથે ડામી દેવામાં આવ્યા હતા એટલું જ નહીં પણ લોકશાહીની ચોથી જાગીર ગણાતા પ્રેસ-મિડીયા પર સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી. કેટલાક કાયદાઓ સરકારની તરફેણમાં બદલી નાંખવામાં આવ્યા હતા.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


