21/9થી ધોરણ 9થી 12ની શાળાઓ ખૂલશે
શાળાઓ 50 ટકા સ્ટાફને બોલાવી શકશે’નવીદિલ્હી,તા.8: કોરોના મહામારીનાં કારણે બંધ રાખવામાં આવેલી શાળાઓ હવે આંશિક રૂપે ખોલવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દિશાનિર્દેશો આપી દેવામાં આવ્યા છે. દેશમાં 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12નાં છાત્રો માટે શરતોને આધીન શાળાઓ ખોલવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે, શાળાએ જવું કે નહીં તે છાત્રોની સ્વેચ્છા આધારિત રહેશે.

શાળામાં છાત્રો વચ્ચે કમસેકમ 6 ફૂટનું અંતર અનિવાર્ય રહેશે. તેમનાં માટે ફેસકવર કે માસ્ક પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી શાળાઓને ખોલવાની મંજૂરી મળશે નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ધો.9થી 12 સુધીની સ્કૂલો માટે આજે આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર ઓનલાઈન કે ડિસ્ટન્સ લર્નિંગની મંજૂરી યથાવત ચાલુ રહેશે. શાળાઓ પોતાનાં સ્ટાફમાંથી મહત્તમ પ0 ટકા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ અને ટેલીફોનિક માર્ગદર્શનનાં કાર્ય માટે બોલાવી શકશે. ધો.9થી 12નાં છાત્રો જો માર્ગદર્શન મેળવવા માટે શાળાએ જવા ઈચ્છે તો તેનાં માટે હવે મંજૂરી રહેશે. જો કે આના માટે તેમણે પોતાનાં માતા-પિતા કે વાલીની લેખિત અનુમતિ લાવવી પડશે. છાત્રો પાસે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ પણ રહેશે. શાળામાં છાત્રોને ટોળે વળવાની કે ખેલકૂદ સંબંધિત ગતિવિધિઓમાં સામેલ થવાની મનાઈ રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


