111 ખેડૂત મોદી સામે ચૂંટણી લડશે
લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનપેક્ષિત વર્ગ તરફથી સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે. વારાણસીમાં વડા પ્રધાન મોદીની સામે તમિળનાડુના 111 જેટલા સંતપ્ત ખેડૂતોએ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લીધો છે.
નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ની સરકાર પ્રત્યે પોતાનો અસંતોષ વ્યક્ત કરવાનો આ ખેડૂતોનો ઉદ્દેશ છે. તેઓ જણાવે છે કે 2014ની ચૂંટણીમાં આપેલાં વચનો પાળવામાં એનડીએ સરકાર નિષ્ફળ નીવડી છે.
તિરૂચી જિલ્લાના તિરમપલયમ ગામનો 30 વર્ષીય ખેડૂત પ્રેમકુમાર જણાવે છે કે તેના અધિકારો અને આજીવિકા માટેની આ લડત છે. એક અંગ્રેજી વાણિજ્ય અખબારને ફોન પર પ્રેમકુમારે જણાવ્યું હતું કે હું વારાણસીમાંથી ઉમેદવારી નોંધાવીશ. વારાણસીમાં અમારા સાથી ખેડૂતોને અમે એવો સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે પાણી તથા કૃષિ ઉત્પાદન માટે ‘બમણા’ ભાવ વિશે ખોટા વચન આપીને અમને કેવી રીતે છેતરવામાં આવ્યા છે. પ્રેમકુમારના છ સભ્ય માટે આવકનો એકમાત્ર સ્રોત ખેતીવાડી છે. પાંચ એકર જમીન પર તે ડાંગર અને શેરડી ઉગાળે છે પરંતુ છ લાખ રૂપિયાનું કરજ ચૂકવવા અસમર્થ છે. તેના મોટા ભાગના ખેડૂતબંધુઓ ડાંગર, શેરડી અને કેળાં ઉગાળે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
