કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાએ અટકળો સાચી પાડી, ભાજપનો ભગવો ધારણ કર્યો
ગુજરાત કોંગ્રેસના િદગ્ગજ નેતા, સૌરાષ્ટ્રના આગેવાન ગણાતા કુંવરજી બાવળિયાએ આજે લાંબા સમયની અટકળોને સાચી પાડતા કોંગ્રેસને ત્યાગપત્ર આપી દીધું છે. આજે ને આજે જ તેઓ ભાજપમાં જોડાઇ જશે. કુંવરજી બાવળિયાને રાજ્ય સરકારમાં તરત જ મંત્રી પદું આપી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવાય રહી છે.
લાંબા સમયથી કોંગ્રેસની ટોચની નેતાગીરીથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અને પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાવળિયાએ મંગળવારે સવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવાસ સ્થાને વિજય રૂપાણીને મળવા માટે પહોંચ્યા હતા.
કોંગ્રેસમાંથી નારાજ બાવળિયા ભાજપના હેડક્વાર્ટર કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીત વાઘાણી સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ કુંવરજી બાવળિયાને કેબિનેટ કક્ષાનો પોર્ટફોલિયો સોંપાઈ શકે છે. પાણી પુરવઠા અને શિક્ષણમાંથી કોઈ એક ખાતાની જવાબદારી તેમને સોંપવામાં આવી શકે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
