CIA ALERT

Tajiya surat Archives - CIA Live

July 16, 2024
cia_windo-1-1280x793.jpg
1min180

મોહરમના તહેવાર નિમિતે સુરત શહેરમાં પારંપરિક રીતે તા 16/07/2024 ના મંગળવારે શહાદતની રાત્રે અને અને તા. 17/07/2024 બુધવારે યોવમે આસુરાના દિવસે તાજીયા જુલુસ શહેરના રાજમાર્ગ પર નીકળશે એવુ સુરત શહેર તાજીયા કમીટી પ્રમુખ અસદ કલ્યાણીએ જણાવ્યું હતું.

છેલ્લા 20 દિવસ થી સુરત શહેર તાજીયા કમીટીનું કાર્યાલય બેગમપુરા મુરગવાન ટેકરા ખાતે કાર્યરત હોઈ, સુરત શહેરના બેગમપુરા, સલાબતપુરા, નાનપુરા, સેયદપુરા, હરીપુરા, રામપુરા, ઇન્દરપુરા, ગધેવાન, ખાંડા કુવા, સેતરંજીવાડ, ઝાલાવાડ ટેકરા, ઝાંપાબઝાર, રાણીતળાવ, ગોપીતળાવ, રુસ્તમપુરા, સગરામપુરા, રૂદદરપુરા, લીંબાયત, રાંદેર, ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ઉન વિસ્તારોમાં તાજીયાની સ્થાપના છેલ્લા નવ દિવસથી કરવામાં આવી છે અને તાજીયાઓ દર્શન માટે પડદાઓ ખોલવામાં આવ્યા હતા.

તાજીયા, સવારી, દુલ દુલ, અખાડા, પાણીના વાહનો, પાણીની પરબો, ઘોડા, પરીની મળીને 350થી વધુ પરમીટ ફોર્મ ભરવામાં આવ્યા છે, સહાદાતની રાત્રે (મંગળવારે) સુરત કોટ વિસ્તારના તાજીયાઓ ઝાંપાબાઝાર એકત્રિત થશે ત્યાં રાત્રે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત શ્રીફળ વધેરી તાજીયા જુલુસને આગળ વધારશે. આ જુલુસ મોતી સિનેમાથી મુંબઈવડ થઇ નવાબસાહેબના નવાબ મહેલે જઈ પરત પોત પોતાના સ્થાનક ઉપર થશે.

બુધવાર યોવમે આસુરા ના દિવસે તજીયા ઠંડા થવાના દિવસ લીંબાયત, સલાબતપુરા અને સુરત કોટ વિસ્તારના તાજીયા ભાગળ ચાર રસ્તે ભેગા થઈ રાજમાર્ગથી લાલગેટથી ગત વર્ષના રૂટ, ફાયદાબજારથી ક્રાઉન ડેરી, મુગલીસરા મહાનગર પાલીકાથી આઈપી મિશન સ્કુલ થઇ ચકલાબઝારથી હોડી બંગલા ખાતે તાજીયા ઠંડા કરવામાં આવશે.

ભાગળ ચાર રસ્તે કોમી એકતાનો મહાકાર્યક્રમમાં સાંજે 5.30 કલાકે યોજાશે. વહેલા તે પહેલા આવનારા 10 તાજીયાને સંત શ્રી અંબરીષાનંદ મહારાજ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સાંસદ મુકેશ દલાલ સહિતના મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામો આવ્યો છે. જુલુસ દરમિયાન તાજીયા કમીટીના 1500થી વધુ સ્વયંવસેવકો ખડેપગે સેવા આપશે.