21 દિવસ ઉઘાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે, બ્રહ્મચર્યનું પાલન કરશે

ડિરેક્ટર એસ એસ રાજમૌલિની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ની સફળતા બાદ એક્ટર રામ ચરણે ભગવાન અયપ્પા સ્વામીનું 45 દિવસનું કઠોર મહાવ્રત કર્યું હતું. હવે જૂનિયર NTRએ પણ હનુમાન દિક્ષા લીધી છે.
જુનિયર NTR 21 દિવસ સુધી ઉધાડા પગે રહેશે. એમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં તે ભગવા રંગના કપડાં, ગળામાં માળા અને માથામાં તિલક સાથે દેખાઇ રહ્યો છે.
જૂનિયર NTRએ હનુમાન જયંતિ પર પૂજા કરી હતી. હવે તે 21 દિવસ સુધી દીક્ષાનું સંપૂર્ણ રીતે પાલન કરશે. આ દરમિયાન તે ઉઘાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે.