NHAI 9 Archives - CIA Live

September 7, 2022
nitin_gadkari.jpg
1min407

જો કે ડ્રાઇવિંગ દરમિયાન સીટ બેલ્ટ નહી બાંધવોએ ખોટું છે, કાર એકિસડન્ટનો ભોગ બનેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર,2022,મંગળવાર 

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન અને સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મુત્યુ ચર્ચાનો વિષય બન્યું છે. કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીએ પણ પ્રતિક્રિયા આપી છે અને અમદાવાદ-મુંબઇ હાઇવેને ખતરનાક હોવાનો સ્વીકાર કર્યો છે. ગડકરીએ એ પણ જણાવ્યું હતું કે અમદાવાદ-મુંબઇ હાઇવે પર ટ્રાફિક વોલ્યૂમ 1 લાખ અને 25 હજાર પેસેન્જર કાર યૂનિટ છે.

આ સંખ્યા માપદંડ કરતા 6.25 ગણી વધારે છે.  એવામાં ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માતની શકયતા વધારે રહે છે. ગડકરીએ ડ્રાઇવિંગ દરમિયાન સીટ બેલ્ટ નહી બાંધવોએ ખોટું હોવાનું ગણાવ્યું છે. ફ્રન્ટ સીટ જ નહી કારની પાછળની સીટમાં બેઠેલા પ્રવાસીઓ પણ સીટ બેલ્ટ બાંધવો એટલો જ જરુરી છે. કાર એકિસડન્ટનો ભોગ બનેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. 

સીટ બેલ્ટ નહી બાંધવાથી રોજ 41 જેટલા મુત્યુ થાય છે 

એક માહિતી મુજબ સીટ બેલ્ટ નહી બાંધવાથી રોજ 41 જેટલા મુત્યુ થાય છે. હવે દરેક કારમાં સીટ બેલ્ટ બાંધો એવો રિમાઇન્ડર લગાવવું ફરજીયાત કરી દેવાયું છે. આ એલાર્મ છતાં કારમાં સીટ બેલ્ટ નહી બાંધવાનું વલણ વધતું જાય છે. કારમાં ફ્ન્ટમાં બેઠેલા સીટ બાંધે છે પરંતુ પાછળ બેઠેલા 70 ટકા પ્રવાસીઓને સીટ બેલ્ટ હોતો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના સ્ટડીમાં પણ જણાવવામાં આવ્યું હતું કે સીટ બેલ્ટ બાંધવાથી અકસ્માત સમયે મુત્યુનું પ્રમાણ 25 થી 30 ટકા જેટલું ઘટે છે.