CIA ALERT

Nepal Archives - CIA Live

September 9, 2025
image-18.png
1min52


નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાતા યુવાપેઢીએ તેને સ્વતંત્રતા પર સરકારનો અંકુશ ગણ્યો હતો. કેપી શર્મા ઓલી ચીનની જેમ નેપાળમાં પણ એકહથ્થુ સોશિયલ ઈકોસિસ્ટમ ગોઠવવા માગે છે કે જેથી લોકો કે વિરોધીઓ આંખ ઉંચી કરી શકે નહીં. તેની સામે લોકોમાં આક્રોશ હતો. વળી, છેલ્લાં કેટલાય સમયથી ચીનમાં સરકારી ભરતીમાં પારદર્શકતાનો અભાવ જોવા મળતો હતો. મોંઘવારી વધી છે, બેરોજગારી વધી છે.

આ બધા સામે લોકોમાં ભારે આક્રોશ હતો ને એમાં સોશિયલ મીડિયાના પ્રતિબંધથી યુવાનોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધી તરાપ લાગી એટલે બળતામાં ઘી હોમાયું, પરિણામે નેપાળમાં જનાક્રોશનો અગ્નિ ભભૂકી ઉઠયો છે.

સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત પછી લાખોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ પાટનગરમાં પ્રદર્શનો કર્યા. એટલું જ નહીં, સંસદભવન તરફ કૂચ કરી અને સંસદભવનમાં ઘૂસી ગયા હતા. ઉપદ્રવીઓને દેખો ત્યાં ઠાર કરો એવો સરકારે સુરક્ષાદળોને આદેશ આપ્યો તેનાથી મામલો વધારે તંગ બન્યો હતો. પોલીસે રબરની ગોળીઓ વરસાવી હતી. એમાં ૨૦ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. ૨૫૦થી વધુને ઈજા પહોંચી છે. આ ઘટના પછી સ્થિતિ વધારે વણસી હતી.

નેપાળમાં કર્ફ્યૂ લાગુ કરીને પરિસ્થિતિ કાબૂમાં કરવા માટે સૈન્ય બોલાવાયું છે. સેનાએ બળપ્રયોગ કરતાં પ્રદર્શનકારીઓ લડી લેવાના મૂડમાં છે. અનેક લોકો સરકારી ભવનો તરફ કૂચ કરી રહ્યા છે એટલે સુરક્ષાદળો અને સરકાર વચ્ચે ઝપાઝપી-સંઘર્ષની ઘટનાઓ બની રહી છે. સુરક્ષાદળોએ રબરની ગોળી છોડવાથી લઈને ટીઅર ગેસ છોડયો અને ફાયરિંગ સુદ્ધાં કર્યું છે. પ્રદર્શનમાં ઉડીને આંખે વળગે તેવી બાબત એ હતી કે એમાં યુવાપેઢી સ્વયંભૂ જોડાઈ છે. કોલેજના વિદ્યાર્થીઓ, યુવા એક્ટિવિસ્ટ, સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. એમાંય જેન-ઝીનું પ્રમાણ ખૂબ વધારે છે. જેન-ઝીનો આરોપ છે કે સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેન મૂકીને ભ્રષ્ટાચાર સામેના અવાજને દબાવવા માગે છે.

વિપક્ષોએ પણ આ પ્રદર્શનકારીઓના સમર્થનમાં સરકાર સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો આદેશ પાછો ખેંચવાની માગણી કરી છે. નેપાળના પૂર્વ વિદેશ મંત્રી ઉપેન્દ્ર યાદવે કહ્યું કે સરકારે તુરંત આ આદેશ પાછો ખેંચીને યુવાનોની માગણી સ્વીકારી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે નેપાળમાં ઓલીની કમ્યુનિસ્ટ પાર્ટી અને નેપાળી કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે. ગઠબંધનમાં પણ અંદરો અંદર સત્તાની ખેંચતાણ રહે છે એટલે નેપાળમાં કેટલાય સમયથી રાજકીય અસ્થિરતાનો માહોલ છે.

નેપાળની સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણીમાં આદેશ કર્યો હતો કે જેટલા વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નેપાળમાં સત્તાવાર રજિસ્ટ્રેશન ન થયું હોય એના પર પ્રતિબંધ મૂકી દો. એ પછી વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટયૂબ, વોટ્સએપ જેવી કંપનીઓને રજિસ્ટ્રેશન કરવા નોટિસ આપી હતી. સાત દિવસ સુધી નોટિસનો કોઈ જવાબ ન મળતા આખરે સરકારે માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રજિસ્ટ્રેશન ન થયું હોય એવા ૨૬ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રાતોરાત બંધ કરી દીધા. પ્રતિબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં ફેસબુક, વોટ્સએપ, યુટયૂબ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, એક્સ (ટ્વિટર), રેડિટ, લિંક્ડઈન, સ્નેપચેટ, સિગ્નલ, પિંટરેસ્ટ, થ્રેડ્સ, ક્લબહાઉસ વગેરેનો સમાવેશ થાય છે.

September 5, 2025
image-11.png
1min31

નેપાળ સરકારે નેપાળ ટેલિકોમ ઓથોરિટીને 26 સોશિયલ મીડિયા વેબસાઇટ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે (ફાઇલ ફોટો)

નેપાળ સરકારે નેપાળ ટેલિકોમ ઓથોરિટીને 26 સોશિયલ મીડિયા વેબસાઇટ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ વેબસાઇટ્સમાં મેટા અને એક્સનો પણ સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી એપી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર નેપાળના કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન મિનિસ્ટર પૃથ્વી સુબ્બા ગુરુંડે કહ્યું કે નેપાળમાં હાજર લગભગ બે ડઝન સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મને દેશમાં પોતાની કંપની રજિસ્ટર કરવા માટે ઘણી વખત નોટિસ મોકલવામાં આવી છે.

નેપાળના કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન મિનિસ્ટર મંત્રાલયના પ્રવક્તા ગજેન્દ્ર ઠાકુરે કહ્યું કે મંત્રાલયે તમામ સોશિયલ મીડિયાને નેપાળમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે અંતિમ ચેતવણી આપી હતી. ગજેન્દ્ર ઠાકુરે કહ્યું કે ગુરુવારે બપોરે યોજાયેલી બેઠકમાં નેપાળ ટેલિકોમ ઓથોરિટીને આજથી 26 સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Tiktok ને બ્લોક કરવામાં આવશે નહીં

એપીના રિપોર્ટ પ્રમાણે ટિકટોક, વાઇબર અને અન્ય ત્રણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નેપાળમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે કારણ કે તેઓએ સરકાર સાથે નોંધણી કરાવી છે. નેપાળ સરકાર કંપનીઓને દેશમાં એક લાઇઝન ઓફિસ કે પોઇન્ટ નિમણૂક કરવા માટે કહી રહી છે.

નેપાળ સરકારે સંસદમાં એક બિલ રજૂ કર્યું છે. તેનો હેતુ એ છે કે સામાજિક પ્લેટફોર્મ્સ યોગ્ય રીતે સંચાલિત થાય અને તેઓ જવાબદાર અને જવાબદેહી હોય. નેપાળી સંસદમાં આ બિલ પર હજુ સુધી સંપૂર્ણ ચર્ચા થઈ નથી. સેન્સરશિપના સાધન અને ઓનલાઇન વિરોધ કરનારા સરકાર વિરોધી વિરોધીઓને સજા કરવાના એક માર્ગ તરીકે તેની ટીકા થઈ રહી છે.

અધિકાર જૂથોએ તેને સરકાર દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતાને મર્યાદિત કરવા અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે કાયદો લાવવો જરૂરી છે જેથી યુઝર્સ અને ઓપરેટરો બંને આ માટે જવાબદાર અને જવાબદેહ હોય કે આ પ્લેટફોર્મ પર શું પ્રકાશિત કરવામાં આવે.