CIA ALERT
19. May 2024

Kagwad Archives - CIA Live

April 27, 2022
nareshPatel-1280x720.jpg
1min415

‘કાગવડ ખોડલધામ ખાતે 27 એપ્રિલ 2022ને બુધવારે ટ્રસ્ટીઓની બેઠક યોજાઇ રહી છે. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે આ મિટીંગને નિર્ણાયક માનવામાં આવે છે. મહાસભા અંગે આ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે જ્યાં ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં’ પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને સર્વેમાં

સર્વે પૂર્ણ થયા બાદ ટ્રસ્ટી મંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે ત્યારે બુધવાર, તા.22મી એપ્રિલે ખોડલધામ મંદિર ખાતે મળનારી ટ્રસ્ટી મંડળની બેઠકમાં નરેશભાઇએ રાજકારણમાં જવું જોઇએ કે નહીં તે અંગે પણ ચર્ચા થઇ શકે છે તેમજ સમાજમાંથી થયેલા સર્વેનો રિપોર્ટ પણ સોપાઇ શકે છે.

લેઉવા પટેલના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરના ચેરમેન નરેશભાઇ પટેલે જ્યારથી રાજકારણમાં જોડાવાની વાત કરી છે ત્યારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકારણમાં જોડાવવા અંગે તેમણે સમાજમાંથી હા આવશે તો જોડાઇશ એવી વાત કરી છે અને એના માટે સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે સોમવારે પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સર્વે અનુસાર નરેશ પટેલે રાજકારણમાં ન જોડાવું જોઇએ. જ્યારે આજે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આ વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, રમેશ ટીલાળાનું સર્વે અંગેનું નિવેદન વ્યક્તિગત છે. ફાઇનલ રિપોર્ટ હાઇકમાન્ડને સોંપવાનો બાકી છે. ઉલ્લખનીય છે કે સર્વેનો રિપોર્ટ આવે તે પહેલા જ ખોડલધામમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે.

નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા અંગે સમાજમાંથી તો વિરોધાભાસી નિવેદન આવી જ રહ્યા છે પરંતુ ખોડલધામના અગ્રણીઓના પણ નિવેદનના કારણે ભારે ચર્ચાઓ શરૂ થઇ છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આજે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રમેશભાઇ ટીલાળાએ આપેલ નિવેદને તેમનું અંગત નિવેદન છે. સર્વેનો રિપોર્ટ હજુ આવ્યો નથી રિપોર્ટ હાઇકમાન્ડને આપવામાં આવશે. હજુ સુધી સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી. ખાસ તો યુવાનોનું એવું કહેવું છે કે, નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ.