
અલ્હાબાદ હાઈકોર્ટે દેશ-વિદેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના વધતા પ્રભાવને લઈને 23/12/21 ગુરૂવારે દેશના વડાપ્રધાન અને ચૂંટણી પંચને અનુરોધ કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે રાજકીય પક્ષો તરફથી ભીડ એકત્રિત કરીને કરવામાં આવતી રેલીઓ ઉપર રોક લાદવામાં આવે. કોર્ટે કહ્યું છે કે, પક્ષો ચૂંટણી પ્રચાર ટીવી અને સમાચાર પત્રો મારફતે કરે. વડાપ્રધાનને અનુરોધ કરતા કોર્ટના જજે કહ્યું હતું ક,ઁ તેઓ પક્ષની ચૂંટણી સભાઓ અને રેલીઓ રોકવા માટે કોઈ પગલા ભરે. સાથે જ ચૂંટણી ટાળવા ઉપર વિચાર કરવા કહ્યું હતું.