CIA ALERT

agrawal vidya vihar dindoli school Archives - CIA Live

September 1, 2022
cia_edu-1280x925.jpg
1min424

અગ્રવાલ સમાજ વિદ્યા વિહાર ટ્રસ્ટની ડીંડોલી ખાતે 2024માં કાર્યાન્વિત થનારી નવી શાળાના ભવનનું ભૂમિપૂજન તા.3 સપ્ટેમ્બર 2022ના રોજ યોજાશે.

વર્ષ 2000ની સાલમાં રચાયેલા અગ્રવાલ સમાજ વિદ્યા વિહાર ટ્રસ્ટની દ્વીતિય શાળાના ભવન નિર્માણ હેતુ સુરતના ડીંડોલીના કરાડવા ખાતે ખરીદાયેલી 25 હજાર સ્ક્વેયર યાર્ડ જગ્યામાં બાંધકામ શરૂ કરવામાં આવશે. જૂન 2024ના નવા શૈક્ષણિક વર્ષથી ડીંડોલી ખાતેની શાળાને ધમધમતી કરી દેવામાં આવશે.

ડીંડોલીના કરાડવા ખાતે જેનું ભૂમિપૂજન તા.3 સપ્ટેમ્બર 2022ના રોજ યોજાનાર છે એ શાળા સેન્ટ્રલ બોર્ડને સંલગ્ન હશે. ત્રણ ફેઝમાં શાળાને ફુલફ્લેજ શરૂ કરવામાં આવશે. પહેલા ફેઝમાં જુનિયર કેજીથી ધો.12 સુધી, દરેક ધોરણમાં 6-6 વર્ગો સાથે શાળા શરૂ કરાશે. ડીંડોલી ખાતેના શાળા સંકુલમાં કુલ 3600 વિદ્યાર્થીઓને સમાવી શકાશે. દ્વિતિય તબક્કામાં ગુજરાત બોર્ડને સંલગ્ન શાળા શરૂ કરાશે અને આ જ કેમ્પસમાં ભવિષ્યમાં કોલેજ પણ શરૂ કરવાનું આયોજન હોવાનું અગ્રવાલ વિદ્યા વિહાર ટ્રસ્ટના મેનેજમેન્ટે સોમવાર, તા.1લી સપ્ટેમ્બર 2022ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.