C.A. ફાઉન્ડેશન કોર્સ માટે Std.10 બાદ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે
આઇસીએઆઇ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા સીએના ફાઉન્ડેશન કોર્સ માટે નવી વ્યવસ્થાને મંજૂરી આપી હોવાથી વિદ્યાર્થીઓ હવે ૧૦મા ધોરણ બાદ સીએના ફાઉન્ડેશન કોર્સ માટે અરજી કરી શકશે. અગાઉ બારમું પાસ કરનારા વિદ્યાર્થીઓને જ ફાઉન્ડેશન કોર્સમાં પ્રવેશ આપવામાં આવતો હતો.
વૈશ્ર્વિક બજારને વધુ સુસંગત બનાવવા આઇસીએઆઇ સમય અનુસાર તેની શૈક્ષણિક પદ્ધતિની સમીક્ષા કરીને વારંવાર ફેરફાર કરતું હોય છે. દસમા ધોરણ બાદ સીએના ફાઉન્ડેશન કોર્સ માટે વારંવાર કરવામાં આવતી માગણી પર વિચારણા કર્યા બાદ સંસ્થાએ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન, ૧૯૮૮ ઍક્ટના નિયમોમાં સરકારને એડ્મિશનમાં જરૂરત પડ્યે ફેરફાર કરવા બાબતે એક પ્રસ્તાવ મોકલ્યો હતો. આઇસીએઆઇ અધ્યક્ષે મંગળવારે જણાવ્યાનુસાર, નિયમોમાં ફેરફાર કરવા માટે સરકારની મંજૂરી મળી ગઇ હોવાથી દસમું પાસ કરનારા વિદ્યાર્થીઓ સીએના ફાઉન્ડેશન કોર્સને પાત્ર છે. જોકે, બારમાની પરીક્ષા બાદ ફાઉન્ડેશન કોર્સ માટે તેમના પ્રવેશને નિયમિત કરવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
