CIA ALERT
August 27, 20181min5460

આજે શ્રાવણનો ત્રીજો સોમવાર, રક્ત ચંદનના તિલક સાથે 108 બિલ્વપત્ર શિવજીનો અર્પણ કરવાનો ઉત્તમ દિન

Share On :

આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે રક્તચંદનનો ચાંલ્લો કરેલા ૧૦૮ બીલીપત્ર શિવલિંગને અર્પણ કરવા અતિ ઉત્તમ

તા. ૨૭મી ઓગસ્ટ 2018ને આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. આજના દિવસે ભગવાન ભોળાનાથની આરાધના કરવા તેમજ કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયેલો છે. આજના દિવસે શિવાલયમાં જઈને જળાભિષેક, બીલીપત્રાભિષેક કરવામાં આવે છે.

આજે તા.27મી ઓગસ્ટ 2018થી મકર રાશિમાં કેતુ સાથે રહેલો વક્રી ભ્રમણ કરી રહેલો મંગળ માર્ગી બની રહ્યો છે. આ દિવસે એક અનુભવસિદ્ધ પ્રયોગ પણ કરી શકાય છે. રક્તચંદનનો ચાંલ્લો કરેલાં ૧૦૮ બીલીપત્ર શિવજીને અર્પણ કરવા જોઈએ. ૧૦૮ બીલીપત્ર આ રીતે અર્પણ કરવાથી અનેક સંકટોમાંથી રાહત મળે છે. સાથોસાથ ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે દેશીના ગાયનું દૂધ, એક મુઠ્ઠી કાળા તલ મિશ્રિત જળ સાથે પણ શિવલિંગ પર અભિષેક કરવામાં આવે તો પણ આરોગ્યની પ્રાપ્તિ અને અકસ્માત-સંકટોમાંથી રક્ષણ મળી રહે છે.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :