CIA ALERT
09. May 2024
November 15, 20192min16030

સૂરતમાં 19મી નવેમ્બરે ધાર્મિક ઇતિહાસ રચાશે, સવા લાખ હનુમાન ચાલીસા પઠન

Share On :
Print Friendly, PDF & Email

સૂરતના પાલ સ્થિત અન્નપૂર્ણા માતાજી મંદિર સંકુલમાં ગુજરાતભરના ભાવિકો આવશે

સૂરતા આર.ટી.ઓ. પાલની બાજુમાં આવેલા અન્નપૂર્ણાસંમાતાજી મંદિર ખાતે આગામી તા.19મી નવેમ્બર 2019ના રોજ કાલ ભૈરવ જયંતિએ સવા લાખ હનુમાન ચાલીસા પઠનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું કે વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી નીતિન મહેતાએ ઉમેર્યું કે સવા લાખ હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન સંકિર્તન પરિવાર સંસ્થા દ્વારા તેમની આગવી શૈલીમાં કરાવવામાં આવશે.

સૂરતમાં સવા લાખ હનુમાન ચાલીસાનું સંકિર્તન સામૂહિક પઠન થઇ રહ્યાનું આ પ્રથમ આયોજન છે, આ કાર્યક્રમમાં સૂરત ઉપરાંત સમસ્ત દક્ષિણ ગુજરાત, વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્રથી ભાવિકો ઉપસ્થિત રહેવાના હોઇ, અન્નપૂર્ણા મંદિર સંકુલમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલમાં યોજનારા આ કાર્યક્રમને લાભ મહત્તમ લોકોને મળે, મહત્તમ ભક્તજનો સવા લાખ હનુમાન ચાલીસા સામૂહિક પઠનના સાક્ષી બને તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને વ્યવસ્થા સુપેરે પાર પડે એ માટે અગાઉથી સંપર્ક કરવા માટે જણાવાયું છે. નીચે મુજબના નંબરો પર કોઇપણ પ્રકારની માહિતીની આપ-લે કરી શકાશે.

સામૂહિક પઠનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના મે. ટ્રસ્ટી શ્રી નીતિનભાઇએ જણાવ્યું હતું કે સવા લાખ હનુમાન ચાલીસા પઠનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એના વગર કાર્યક્રમમાં ભાગ લઇ શકાશે નહીં. તમામની વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી પૂર્વ રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જેમણે હનુમાન ચાલીસા સામૂહિક પઠનમાં ભાગ લેવો હોય તેમણે મોડામાં મોડુ રવિવાર તા.16મી નવેમ્બર 2019 સુધીમાં પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા માતાજી મંદિર સંકુલ ખાતે નિર્ધારિત ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. મહત્તમ 3000 હજાર ભાવિકો જ સવા લાખ હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં સામેલ થઇ શકશે.

માહિતી માટેના સંપર્ક નંબરો

  • 99131-97252
  • 98252-58380
  • 97261-56339
  • 99130-88252
  • 94278-33877

શ્રમ સહયોગ

  • શ્રી ગણેશ પરિવાર
  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, રાજ્ય કક્ષા
  • શ્રી સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળા, સૂરત
  • શ્રી દત્તાત્રેય ચેરીટેબલ ટ્રસ્ટ
  • શ્રી બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત તેમજ અન્ય સેવાકીય સંસ્થાઓ

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :