Rajasthan Politics : સુપ્રીમ કૉર્ટમાં સચિન પાયલટનો વિજય
રાજસ્થાન હાઈ કૉર્ટના નિર્ણયને પડકારતી રાજસ્થાન વિધાનસભાના સ્પીકર સી. પી. જોશીની અરજીની સુનાવણી બાદ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અરુણ મિશ્રા, બી. આર. ગાવઈ અને કૃષ્ણમુરારીની બનેલી ખંડપીઠે હાઈ કૉર્ટના ચુકાદા પર સ્ટે આપવાનું નકારી કાઢ્યું હતું. આ સાથે સચિન પાયલટ અને તેમના સાથી વિધાનસભ્યોનો અદાલતમાં પ્રારંભિક વિજય થયો હતો. જોકે, તેમણે કહ્યું હતું કે હાઈ કૉર્ટનો આદેશ સુપ્રીમ કૉર્ટના ચુકાદાને આધિન હશે.

આ મામલે હાઈ કૉર્ટ આજે ચુકાદો આપશે અને સુપ્રીમ કૉર્ટ સોમવારે સુનાવણી હાથ ધરશે.
સ્પીકર દ્વારા આપવામાં આવેલી નૉટિસ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને મામલે હાઈ કૉર્ટ સુનાવણી કરી શકે કે નહીં એ મામલે સુપ્રીમ કૉર્ટ સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કૉર્ટ સ્પીકરના અધિકાર તેમ જ કૉર્ટના અધિકારક્ષેત્ર અંગે વિચારણા કરશે.
સ્પીકર સી. પી. જોશી વતી કૉર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે કૉર્ટમાં કહ્યું હતું કે હાઈ કૉર્ટ સ્પીકરને આદેશ આપી શકે નહીં. નિર્ણયનો લેવાનો સમય વધારવા માટે કૉર્ટ સ્પીકરને આદેશ આપી શકે નહીં. જ્યાં સુધી સ્પીકર કોઈ અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી કૉર્ટ દખલગીરી કરી શકે નહીં, એમ તેમણે કહ્યું હતું.
ગેરલાયક ઠેરવવાને સંબંધિત તમામ કાર્યવાહી વિધાનસભા સુધી જ સીમિત રહેવી જોઈએ એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જ્યારે સ્પીકર નિર્ણય લેતા હોય તો ત્યારે હાઈ કૉર્ટ આદેશ બહાર ન પાડી શકે. બંધારણની ૧૦મી કલમના છઠ્ઠા ફકરામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેરલાયક ઠેરવવાને મામલે સ્પીકરનો નિર્ણય અંતિમ હોય છે.
સિબલે કહ્યું હતું કે કૉર્ટ માત્ર ત્યારે જ દરમિયાનગીરી કરી શકે છે જ્યારે સ્પીકરે ધારસભ્યને સસ્પેન્ડ કે ગેરલાયક જાહેર કર્યો હોય.
અગાઉ, રાજસ્થાનના બરતરફ કરાયેલા નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઈલટ સહિત ૧૯ બળવાખોર ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાને લગતી પ્રક્રિયા શરૂ કરવા વિધાનસભાના સ્પીકર દ્વારા આપવામાં આવેલી નૉટિસને મામલે સુપ્રીમ કૉર્ટે કોઈપણ પ્રકારની રાહત આપવાનું નકારી કાઢ્યું હતું.
વિધાનસભાના સ્પીકર દ્વારા ગેરલાયક ઠેરવવાને લગતી પાઠવવામાં આવેલી નૉટિસને પડકારતી કૉંગ્રેસના બળવાખોર ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી અરજીને મામલે ચુકાદો આપવાની સુપ્રીમ કૉર્ટે ગુરુવારે રાજસ્થાન હાઈ કૉર્ટને મંજૂરી આપી હતી.
બળવાખોર નેતાઓને ગેરલાયક ઠેરવવાને લગતી સ્પીકર દ્વારા આપવામાં આવેલી નૉટિસને પડકારનાર બળવાખોર ધારાસભ્યોએ પક્ષકાર તરીકે કેન્દ્ર સરકારનો પણ સમાવેશ કરવાની માગણી કરતી અરજી કૉર્ટમાં દાખલ કરી હતી.
અરજીની સુનાવણી માટે ૨૭ જુલાઈ મુકરર કરતા ખંડપીઠે કહ્યું હતું કે તેનો આધાર અરજી અંગે સુપ્રીમ કૉર્ટના ચુકાદા પર રહેશે.
બંધારણની કલમ ૧૦ હેઠળ હાથ ધરવામાં આવેલી બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયામાં હાઈ કૉર્ટ દખલગીરી ન કરી શકે એ પ્રકારનો આક્ષેપ કરતી દાખલ કરેલી અરજીને મામલે વચગાળાની રાહત મેળવવામાં રાજસ્થાન વિધાનસભાના સ્પીકર સી. પી. જોશી નિષ્ફળ ગયા હતા.
ન્યાયાધીશ અરુણ મિશ્રા, બી. આર. ગાવઈ અને કૃષ્ણમુરારીની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે જોશીની અરજીમાં મહત્વના પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હોવાને કારણે તે માટે લાંબી સુનાવણી જરૂરી છે.
લોકશાહીમાં બળવાખોરોનો અવાજ દબાવી ન શકાય, એમ ખંડપીઠે કહ્યું હતું.
કૉંગ્રેસના ૧૯ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા શરૂ કરવાના કારણો અંગે જોશીને પ્રશ્ર્ન કરતા કૉર્ટે કહ્યું હતું કે બળવાખોર નેતાઓને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયાને મંજૂરી આપી શકાય એમ છે કે નહીં તે શોધી કાઢવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
જોશી વતી કૉર્ટમાં ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે એમ કહીને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયાનો આરંભ કરવાનું જણાવ્યું કહ્યું હતું કે આ બળવાખોર ધારાસભ્યોએ વ્હીપની અવગણના કરીને પક્ષની બેઠકમાં હાજરી નહોતી આપી અને પક્ષની જ સરકારને અસ્થિર કરવા કાવતરું ઘડી કાઢ્યું હતું. જોકે, ખંડપીઠે કહ્યું હતું કે આ સાધારણ કેસ નથી અને આ ધારાસભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


