August 11, 20201min5440

પુણેના દગડૂશેઠ ગણપતિ મંદિરની ૧૨૭ વર્ષ જૂની પરંપરા બદલાશે

Share On :

રાજ્યમાં કોરોનાના સંકટને ધ્યાનમાં લઇને આ વખતે ગણેશોત્સવની ઉજવણી સાદાઇપૂર્વક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે પુણના પ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ હલવાઇ સાર્વજનિક ગણપતિ મંડળે ૧૨૭ વર્ષ જૂની વૈભવશાળી પરંપરાને બદલીને આ વખતે મંદિરમાં જ ગણેશોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે.

આ અંગે મંડળના અધ્યક્ષ અશોક ગોડસેએ જણાવ્યું હતું કે દર વર્ષે ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, પણ આ વર્ષે પરિસ્થિતિ અલગ છે. શહેરમાં કોરોનાના કેસ મોટી સંખ્યામાં વધી રહ્યા હોવાથી પ્રશાસને આપેલા આદેશ અનુસાર ગણેશોત્સવ મુખ્ય મંદિરમાં સાદાઇથી ઉજવવામાં આવશે. ગણેશભકતોએ મંદિરમાં પ્રવેશ કર્યા વગર બહરાથી બાપ્પાના દર્શન કરવાના રહેશે અને તેઓ ભગવાનને હાર, ફૂલ, નારિયેળ અને પ્રસાદ અર્પણ કરી શકશે નહીં, એવી સ્પષ્ટતા તેમણે કરી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :