કોરોનાકાળમાં ચૂંટણીસભાઓને છૂટ
લોકો તહેવારો ઉજવવાનું સ્વયંભૂ ટાળી રહ્યા છે પણ નેતાઓ રાજકીય ઉત્સવ બંધ નહીં રાખે: તાત્કાલિક અસરથી સભાઓને મંજૂરી આપતી માર્ગદર્શિકા
કોરોના મહામારીના કાળમાં સ્વસ્થ રહેવા માટે શારીરિક દૂરીથી લઈને સેનેટાઇઝેશનની કાળજી અનિવાર્ય બની છે અને સામાન્ય જનતા પણ કોઈપણ તહેવાર ઉજવવાનું ટાળી રહી છે તેવા સમયે રાજકીય તહેવાર સમાન ચૂંટણી માટે કોરોનાની માર્ગદર્શિકામાં જબરો સુધારો કરી નાખવામાં આવ્યો છે.
સરકારે 12 રાજ્યમાં ચૂંટણી માટે રેલી, સભાઓને તાત્કાલિક અસરથી અનુમતિ આપી દીધી છે. આ પહેલા ગૃહ મંત્રાલય 1પ ઓક્ટોબર પછી જ ચૂંટણી સભાઓને પરવાનગી આપેલી હતી પણ હવે તેને તાત્કાલિક અસરથી છૂટ આપી દેવામાં આવી છે.
સરકારના આ એલાનથી બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીઓમાં મોટી અસર થવાની છે, કારણ કે અત્યાર સુધી કોરોના દિશાનિર્દેશ અનુસાર મોટી જાહેરસભાઓને પરવાનગી નહોતી. જેનાં કારણે રાજકીય દળો ચૂંટણી સભાઓ યોજી શકે તેમ નહોતા પણ હવે છૂટ મળી જતાં નેતાઓ હવે જ્યાં ચૂંટણી યોજાવાની છે તે પ્રદેશોને ધમરોળશે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ અનેક રાજ્યોમાં પેટાચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. આમાં વિધાનસભા ચૂંટણી, વિધાનસભા અને એક લોકસભા બેઠકની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે.
બિહારમાં 28મી ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. આ ઉપરાંત તેલંગણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, મણિપુર, નાગાલેન્ડ અને ઓરિસ્સા વિધાનસભાની પેટાચૂંટણીઓનો સમાવેશ થાય છે. આ ચૂંટણીનાં પરિણામોની જાહેરાત 10મી નવેમ્બરે આવવાનાં છે. ગૃહ મંત્રાલયે તમામ રાજકીય દળોને એ સુનિશ્ચિત કરવાં કહ્યું છે કે, તે કોરોના ઉપર અંકુશ લગાવવા માટેના તમામ ઉપાયોનું પાલન કરે. આ ઉપરાંત 30 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન પણ તેમણે કરવાનું રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


