ગીર જંગલમાં 16/10/2020 થી સિંહ દર્શન
એશિયાટીક લાયનના નિવાસસ્થાન ગીર જંગલમાં વસતા વનરાજોનું ત્રણ દિ’ બાદ વેકેશન પૂરૂ થઇ રહ્યું છે. તા.16ને શુક્રવારથી સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. ત્યારે કોવિડ-19ને ધ્યાને લઇ કડક નિયમો તૈયાર કરાયા છે તેમાં 10 વર્ષથી નીચે અને 65 વર્ષથી ઉપરનાને પ્રવેશ અપાશે નહીં. જીપ્સીમાં માત્ર 3 પ્રવાસીઓ જ બેસી શકશે.

આ અંગે વિગતો સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે, આગામી તા.16થી સિંહ દર્શનનો પ્રારંભ થઇ રહ્યો છે તે પૂર્વે વન કર્મચારીઓ, જીપ્સીના ચાલકો, ગાઇડોનો કોરોના ટેસ્ટ કરાવાયો છે. વાહનોને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને લઇ, જંગલમાં જનાર પ્રવાસીઓને ક્યાંય ઉતરવા દેવાશે નહીં, એટલું જ નહીં સિંહ દર્શન રૂટના માર્ગોને ‘ટાયર બાફ’ કરાયા છે. જેથી કોરોનાના જીવાણુ વાહનોના ટાયર દ્વારા પણ જંગલમાં પ્રવેશી ન શકે તેમજ દરેક પ્રવાસીની થર્મલ ગનથી તપાસ કરાશે.
તેમણે ઉમેર્યુ કે, જીપ્સીની સંખ્યામાં કોઇ ઘટાડો કરાયો નથી. જે દર કલાકે 150 પ્રવાસીઓને લઇ જવાતા હતા તે જ રીતે દોડાવાશે માત્ર જીપ્સીમાં પ્રવાસીઓની સંખ્યા ઘટાડવામાં આવી છે. બાળકો અને વૃધ્ધો ઉપર પ્રતિબંધ લદાયો છે.
શ્રી વસાવડાએ જણાવ્યું કે કોરોનાને કારણે પ્રવાસીઓમાં સિંહ દર્શનનો ઉત્સાહ ઓસર્યો છે. અત્યાર સુધીમાં માત્ર 39 પ્રવાસીઓએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું છે, આમ મહામારીની અસર પ્રવાસીઓ ઉપર પણ પડી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


