દ્વારકા : જગતમંદિરમાં કાળીચૌદશ અને દિવાળીની એક જ દિવસે ઉજવણી

યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરમાં કાળીચૌદશ અને દીપાવલીની એક જ દિવસે એટલે કે ૧૪મી નવેમ્બરના ઉજવણી થશે. દિવાળીના રાત્રીના ૮ વાગ્યાથી ૮.૩૦ વાગ્યા સુધી હાટડીના દર્શન થશે. ૧૫મી નવેમ્બરના નૂતનવર્ષના સાંજે ૫ વાગ્યાથી ૭ વાગ્યા સુધી અન્નકૂટ ઉત્સવના દર્શન થશે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં દીપાવલી અને નૂતનવર્ષને અનુલક્ષીને તા. ૧૩મીથી ૧૬મી નવેમ્બરના શ્રીજીના દર્શનનો કાર્યક્રમ દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર તા. ૧૩ નવેમ્બરના ધનતેરસના શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે. તા.૧૪ નવેમ્બરના રૂપચૌદશ અને દીપાવલીની ઉજવણી થશે. જેમાં મંગળા આરતી સવારે ૫.૩૦ કલાકે થશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.
બપોરે એક વાગ્યે મંદિર અનોસર(બંધ) થશે. ઉત્થાપન દર્શના સાંજે ૫ વાગ્યે થશે. રાત્રીના ૮ થી ૮.૩૦ હાટડી દર્શન બાદ રાત્રીના ૯.૪૫ કલાકે મંદિર અનોસર થશે. તા.૧૫ નવેમ્બરના નૂતનવર્ષના મંગળા આરતી સવારે ૬ કલાકે થશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે અને બપોરે એક કલાકે મંદિર અનોસર થશે. અન્નકૂટ દર્શન સાંજે ૫ થી ૭ કલાક સુધી થશે અને રાત્રીના ૯.૪૫ કલાકે મંદિર અનોસર થશે. ૧૬મી નવેમ્બરના ભાઇબીજના સવારે ૭ કલાકે મંગળા આરતી થશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.ઉલ્લખેનીય છેકે, અનલોક બાદ દ્વારકા તરફ ધીમે-ધીમે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
