CIA ALERT

ગુજરાતમાં 19મી ઓગસ્ટે વિક્રમી 63 હજાર પ્લસ કોરોના ટેસ્ટ

Share On :

૨૪ કલાકમાં ૬૩ હજારથી વધુ ટેસ્ટ, ૧૧૪૫ નવા કેસ, ૧૭ મૃત્યુ, ૧૧૨૦ ડિસ્ચાર્જ

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિતોને શોધી કાઢવા માટે અત્યાર સુધીના સૌથી વિક્રમી ટેસ્ટ છેલ્લા ચોવીસ કલાકમાં કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં ૬૩,૦૮૭ ટેસ્ટ રાજ્યભરમાં કરવામાં આવ્યા એમાંથી ૧૧૪૫ નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ આઇસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે ૧૧૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, સારવાર હેઠળના વધુ ૧૭ દર્દીઓના હોસ્પિટલમાં મૃત્યુ થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે ૨૩૮ કેસ સુરતમાં નોંધાયા છે એમાં મહાનગરના ૧૬૬ કેસનો સમાવેશ થાય છે. શહેરના ત્રણ મળી કુલ સાત દર્દીઓના મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદ શહેરમાંથી નવા ૧૪૬ કેસ નોંધાયા છે અને ચાર દર્દીના મૃત્યુ થયા છે. અલબત્ત, ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૧૭ કેસ ઉમેરાયા છે. વડોદરા શહેરમાંથી નવા ૯૩ કેસ અને જિલ્લામાંથી ૨૨ મળી ૧૧૫ કેસ નોંધાયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૦ અને ગ્રામ્યમાંથી ૧૭ કેસ મળી કુલ ૨૭ કેસ નોંધાયા છે. ગ્રામ્યમાં એક દર્દીનું કોવિડના કારણે મૃત્યુ થયું છે.

રાજકોટ મહાનગરમાંથી નવા ૬૨ કેસ નોંધાયા છે જ્યારે ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે. સૌરાષ્ટ્રના અન્ય મહાનગર જામનગરમાંથી સતત રોજેરોજ નવા કેસ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૯ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના જામખંભાળીયા, ધ્રોળ, લાલપુર જેવા વિસ્તારમાંથી નવા ૬ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી ૩૫ કેસ અને એક દર્દીના મૃત્યુની પુષ્ટી સરકારે કરી છે. જિલ્લામાંથી નવા ૨૫ કેસ પણ નોંધાયા છે. જૂનાગઢમાંથી કુલ વીસ કેસ નોંધાયા છે એમાં મહાનગરના ૧૧ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસ પંચમહાલ જિલ્લામાંથી નોંધાયા છે. પંચમહાલના હાલોલ, કાલોલ, ગોધરા સહિતના તાલુકા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નવા ૪૪ કેસ મળી આવ્યા છે. આ જ રીતે રાજકોટ સાથે નજીકનો નાતો ધરાવતા અને સિરામિક સહિતની ઔદ્યોગિક પ્રવૃત્તિના હબ ગણાતા મોરબીમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા, ભૂજ, અબડાસા, અંજારમાંથી નવા ૩૦ કેસ આવ્યા છે.

અમરેલીમાં લાઠી, લીલીયા, ધારી સહિતના વિસ્તારોમાંથી નવા ૨૭ કેસ, ભરૂચમાં ભરૂચ શહેર ઉપરાંત વાગરા, અંકેલશ્વર, ઝગડિયા જેવા ઔદ્યોગિક વિસ્તારોના કારણે કેસ સતત વધી રહ્યા છે અહીં વધુ ૨૨ કેસ નોંધાયા છે. મહેસાણામાં કડી, વિજાપુર, બેચરાજી, વીસનગર અને ઊંઝા સંક્રમિત થયા છે એમાંથી નવા ૨૦ કેસ નોંધાયા છે. બનાસકાંઠમાં પાલનપુર, ડીસા, ધાનેરા જેવા વિસ્તારોમાંથી વધુ ૧૯ કેસ અને પાટણમાંથી ૧૮ નવા કેસ નોંધાયા છે. પાટણમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

રાજ્યના આણંદ, ગીર સોમનાથ, વલસાડ જિલ્લામાંથી ૧૩-૧૩ કેસ, બોટાદ અને નવસારામંથી ૧૧, પોરબંદરમાંથી ૧૦, નર્મદામાંથી ૯, સાબરકાંઠામાંથી ૭ કેસ નવા નોંધાયા છે. ખેડા, સુરેન્દ્રનગર, તાપીમાંથી ૬-૬ કેસ, મહીસાગરમાંથી ૫, અરવલ્લીમાંથી ૪, દ્વારકા ૩, છોટાઉદેપુર તથા અન્ય રાજ્યના એક એક કેસ નોંધાયા છે.

આમ, રાજ્યમાં ૧૪,૭૮,૬૨૯ ટેસ્ટ સાથે કુલ કેસનો આંક વધીને ૮૨,૦૮૭ સુધી પહોંચ્યો છે જ્યારે નવા ૧૧૨૦ ડિસ્ચાર્જ સાથે કુલ આંક ૬૪૮૩૦ થયો છે આને પગલે રાજ્યનો રિવકરી રેટ ૭૮.૯૮ ટકા થયો છે. અલબત્ત, કુલ મૃત્યુ આંક પણ ૨૮૩૯ સુધી પહોંચ્યો છે. જે સરેરાશ ચાર ટકા કરતાં નીચો છે. આમ, હાલ રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૧૪૪૧૫ થયો છે એમાંથી ૮૧ દર્દી વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૩૩૭ સ્ટેબલ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :