CIA ALERT

ગુજરાતમાં 8 સપ્ટેમ્બરે 1295 નવા કેસ : રિવકરી 81.78 %

Share On :

ગુજરાતભરમાંથી કોરોનાના નવા સંક્રમિત ૧૨૯૫ દર્દીઓ મળી આવ્યા છે જ્યારે સારવાર હેઠળના વધુ ૧૩ દર્દીઓના ગંભીર ચેપની અસરથી મૃત્યુ થયા છે. અલબત્ત, આ સમયગાળામાં નવા ૧૪૪૫ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાન્સ મુજબ ડિસ્ચાર્જ કરાયા છે એ સાથે રાજ્યમાં કુલ ૧,૦૬,૯૬૬ પોઝિટિવ દર્દીઓ સામે સાજા થનારની સંખ્યા ૮૭,૪૭૯ થઇ છે એટલે કે રાજ્યનો રિવકરી રેટ ૮૧.૭૮ ટકા થયો છે. જોકે, મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ ૩૧૩૬ સુધી પહોંચી છે.

છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ સંક્રમિત એવા આઠ મહાનગરો અને એના જિલ્લાઓમાં જોઇએ તો સુરતમાંથી નવા ૨૬૫ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭૭નો સમાવેશ થાય છે ગ્રામ્ય અને શહેરમાંથી ૩-૩ દર્દીના મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદમાં કુલ ૧૭૦ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૪૮ કેસનો સમાવેશ થાય છે. શહેરના વધુ ૩ દર્દીના મૃત્યુ પણ થયા છે. રાજકોટ શહેરમાંથી ૯૮ કેસ અને ગ્રામ્યમાંથી ૩૬ મળી ૧૩૪ કેસ નવા ઉમેરાયા છે. રાજકોટ શહેરના બે દર્દીના મૃત્યુ કોરોનાથી થયાનું જાહેર કરાયું છે.

વડોદરા શહેરમાંથી નવા ૮૪ અને ગ્રામ્યના ૪૦ મળી ૧૨૪ કેસ નોંધાયા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ થયું છે. જામનગર શહેરમાંથી નવા ૮૩ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યના ૧૬ કેસ છે. ભાવનગરમાંથી ૪૧ કેસ નવા ઉમેરાયા છે એમાં શહેરના ૨૬ કેસનો સમાવેશ થાય છે. જૂનાગઢમાં કુલ ૩૬ કેસ અને ગાંધીનગરમાંથી કુલ ૩૫ કેસ આવ્યા છે. ગાંધીનગર ગ્રામ્યના એક દર્દીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પણ થયું છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો પંચમહાલમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે તો કચ્છમાંથી ૩૨ કેસ ઉમેરાયા છે. પાટણમાંથી ૨૮, અમરેલીના ૨૭, મોરબીમાંથી ૨૬ અને મહેસાણામાંથી ૨૩ કેસ નવા નોંધાયા છે. બનાસકાંઠા અને ભરૂચમાંથી ૨૨-૨૨ કેસ મળ્યા છે. આ જ રીતે દાહોદ અને દેવભૂમિ દ્વારકામાંથી ૧૯-૧૯ કેસ નોંધાયા છે. આણંદ, મહીસાગર અને સુરેન્દ્રનગરમાંથી નવા ૧૫-૧૫ કેસ, ગીર સોમનાથમાંથી નવા ૧૪ કેસ ઉમેરાયા છે.

નવસારી અને તાપી જિલ્લામાંથી ૧૨-૧૨ કેસ, નર્મદા અને સાબરકાંઠમાંથી ૧૦-૧૦ કેસ, ખેડાના ૮, બોટાદ અને છોટાઉદેપુરમાંથી ૭-૭ કેસ નોંધાયા છે. વલસાડમાંથી ૬, ડાંગમાંથી ૪ અને પોરબંદરમાંથી ૩ કેસ ઉમેરાયા છે.

આમ, પાછલા ચોવીસ કલાકમાં નવા ૭૨,૦૭૬ ટેસ્ટ કરાયા હતા. જે સતત ચાર દિવસના સરેરાશ સ્તરે છે. આ સાથે કુલ આંક ૨૯,૨૫,૪૪૭ ટેસ્ટ સુધી પહોંચ્યો છે અત્યાર સુધીમાં ૧,૦૬,૯૬૬ પોઝિટિવ કેસ થવા જાય છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬૩૫૧ છે એમાં ૮૨ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૬૨૬૯ સ્ટેબલ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :