Gujarat Corona update 28/8 : નવા 1190 કેસ Vs 1193 ડિસ્ચાર્જ
કોરોનાથી સંક્રમિત રાજ્યના વિવિધ મહાનગરો, જિલ્લાઓમાંથી નવા ૧૧૯૦ દર્દીઓ મળી આવ્યા છે એની સામે ચોવીસ કલાકમાં વધુ ૧૧૯૦ દર્દીને આઇસીએમઆરની ગાઇડલાન્સ મુજબ સાજાં થઇ જવાથી ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, આ સમયમાં સુરતમાં વધુ ૫, અમદાવાદ અને રાજકોટમાં ૩-૩, વડોદરા, અમરેલી, આણંદ, કચ્છ, પાટણ અને વલસાડમાં ૧-૧ મળી કુલ ૧૭ દર્દીઓના મૃત્યુ કોવિડ-૧૯ના કારણે થયાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.
આ સાથે રાજ્યમાં કોરોનાના ચેપગ્રસ્તો શોધવા માટે ચાલી રહેલી વ્યાપક ટેસ્ટીંગ ઝુંબેશના પગલે કુલ ટેસ્ટનો આંક ૨૦ લાખને પાર થઇ ગયો છે. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંક પણ વધીને ૯૧૩૨૯ થયો છે જ્યારે સાજા થનારાની સંખ્યા ૭૩૫૦૧ થઇ છે. જોકે, મૃત્યુ આંક ૨૯૬૪ સુધી પહોંચ્યો છે જે ૩.૪ ટકા જેટલો થવા જાય છે. જુલાઇ મહિનાની સરખામણીમાં મૃત્યુનું દૈનિક સ્તર ખાસ્સું ઘટ્યું છે એવો દાવો સરકારે કર્યો છે.
રાજ્યમાં સૌથી વધારે સંક્રમિત દર્દીઓમાં સુરતમાં કુલ ૨૫૩ કેસ મળ્યા છે એમાં શહેરમાંથી ૧૬૪ કેસનો સમાવેશ થાય છે અને ૩ દર્દીના હોસ્પિટલમાં મૃત્યુ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સતત બીજા દિવસે નવા ૮૯ કેસ મળ્યા છે અને બે દર્દીના અવસાન થયા છે. અમદાવાદ શહેરમાંથી નવા ૧૪૩ કેસ મળ્યા છે અને ત્રણ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ નવા કેસ નોંધાયા છે. પાટનગર ગાંધીનગરમાંથી નવા વીસ કેસ તો ગ્રામ્યમાંથી ઘટીને ૮ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ વડોદરામાં સતત વધતાં કેસ વચ્ચે નવા ૮૯ કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે ગ્રામ્ય વિસ્તારમાંથી બીજા દિવસે નવા ૩૪ કેસનો ચિંતાજનક ઉમેરો નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી નવા ૭૯ કેસ અને ગ્રામ્યમાંથી ૧૦ કેસ મળી ૮૯ કેસનો ઉમેરો થયો છે. રાજકોટ શહેરમાંથી ૬૬ કેસ અને બે દર્દીના મૃત્યુ તેમજ ગ્રામ્યામંથી નવા ૩૦ કેસ અને એક દર્દીનું મૃત્યુ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી નવા ૩૦ અને ગ્રામ્યના ૨૧ મળી કુલ ૫૧ કેસ, જૂનાગઢમાંથી કુલ ૨૮ કેસમાં શહેરના ૧૫ કેસનો સમાવેશ થાય છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં અમરેલીમાંથી નવા ૩૦ કેસ, પંચમહાલમાંથી ૨૮, કચ્છમાંથી ૨૭, મોરબીમાંથી ૨૪, ભરૂચ અને મહેસાણામાંથી ૨૧-૨૧ કેસ નવા નોંધાયા છે. દાહોદ જિલ્લામાંથી વધુ ૧૯ કેસ, બનાસકાંઠા, દ્વારકા, ગીર સોમનાથમાંથી ૧૭-૧૭ કેસ સત્તાવાર જાહેર કરાયા છે. પાટણ જિલ્લામાંથી નવા ૧૬ કેસ નોંધાયા છે જ્યારે બોટાદ અને નર્મદામાંથી ૧૪-૧૪ કેસ ઉમેરાયા છે. નવસારીમાંથી ૧૨, છોટાઉદેપુર અને મહીસાગરમાંથી ૧૧-૧૧ કેસ, ખેડામાંથી નવા ૮ કેસ નોંધાયા છે. જ્યારે આણંદ, ડાંગ, સાબરકાંઠા અને તાપીમાંથી ૭-૭ નવા કેસ નોંધાયા છે. પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડમાંથી નવા ૫-૫ કેસ તેમજ અરવલ્લીમાંથી ૪ નવા કેસ નોંધાયા છે.
આમ, છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૭૬,૨૨૭ ટેસ્ટ કરાયા હતા એ સાથે કુલ આંક ૨૦,૪૫,૯૫૧ સુધી પહોંચ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ૧૪૮૬૪ સુધી પહોંચી છે તો એમાંથી ૯૧ દર્દી વેન્ટીલેટર ઉપર રાખવા પડ્યા છે અને બાકીના ૧૪૭૭૩ સ્ટેબલ હોવાનો દાવો કરાયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


