CIA ALERT

ગિફ્ટ વાઉચરથી માલની ખરીદી પર GST વસૂલાય

Share On :

ગિફ્ટ કાર્ડ કે ગિફ્ટ કાર્ડ કે ગિફ્ટ વાઉચરની ખરીદી પર જીએસટી લાગવાને મામલે સ્પષ્ટતા કરતા તમિળનાડુસ્થિત એએએઆરની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે ગિફ્ટ વાઉચરથી માલની ખરીદી પર જીએસટી લાગે.

ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે ગિફ્ટ વાઉચર પર જીએસટી લાગુ નહીં પડે, પરંતુ ગિફ્ટ કાર્ડ કે ગિફ્ટ વાઉચરથી કરવામાં આવતી માલની ખરીદી પર જીએસટી લાગશે.

ગિફ્ટ વાઉચર કે અન્ય ક્યા માધ્યમથી વસ્તુની ખરીદી કરવામાં આવી છે તેને આધારે અનુક્રમે ૧૨ ટકા કે ૧૮ ટકા જીએસટી લાગુ કરવાના તમિળનાડુ સ્ટેટ ઑથોરિટી ફૉર ઍડવાન્સ રૂલિંગ (એએઆર)એ આપેલા ચુકાદાને પડકારવા કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા લિ.એ ઍપેલૅટ ઑથોરિટી ફૉર ઍડવાન્સ રૂલિંગ (એએએઆર)ના દ્વાર ખટખટાવ્યા હતા. એએઆરના ચુકાદામાં સુધારો કરતા એએએઆરએ સ્પષ્ટતા કરી હતી કે ગિફ્ટ વાઉચર કે ગિફ્ટ કાર્ડની ખરીદી પર જીએસટી લાગુ નહીં પડે, પરંતુ ગિફ્ટ કાર્ડ કે ગિફ્ટ વાઉચરથી કરવામાં આવતી માલની ખરીદી પર જીએસટી લાગુ પડશે.

ચુકાદામાં એએએઆરએ કહ્યું હતું કે વાઉચર ન તો માલસામાન છે કે ન તો સેવા છે અને જીએસટી કાયદો તેને માત્ર ભવિષ્યમાં વસ્તુ ખરીદવા માટેનું સાધન જ ગણે છે.

વાઉચર માત્ર સાધન જ છે અને વસ્તુ કે સેવા નથી તેથી તેનું અલગથી વર્ગીકરણ કરવામાં નથી આવ્યું, પરંતુ વાઉચર મારફતે ખરીદવામાં આવેલી વસ્તુ કે સેવાનું વર્ગીકરણ કરી શકાય છે, એમ તેમણે કહ્યું હતું.

ઈવાય ટૅક્સ પાર્ટનર અભિષેક જૈને એએએઆરના આ ચુકાદાને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આ ચુકાદાએ વાઉચર પરના કરવેરા અંગે સ્પષ્ટતા કરી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :