Air India Express માં કોરોનાના દર્દીએ મુસાફરી : દુબઈની ફ્લાઈટ રદ
એર ઈન્ડિયા એક્સપ્રેસની જયપુરથી દુબઈની ફ્લાઈટમાં એક પેસેન્જર જે 2 સપ્ટેમ્બરના કોવિડ 19 પોઝિટિવ હતો તેણે 4 સપ્ટેમ્બરના મુસાફરી કરી હતી. અગાઉ પણ એક સપ્તાહ અગાઉ આ પ્રકારનો એક બનાવ બન્યો હતો.
કોવિડ 19 પોઝિટિવ દર્દીને ફ્લાઈટમાં દુબઈ લાવવા બદલ દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટીએ એર ઈન્ડિયા એક્સપ્રેસની બેદરકારી બદલ પગલા લેતા તેમની ફ્લાઈટ સેવા 18 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. એક અધિકારીએ જણાવ્યા મુજબ એક સપ્તાહના ટૂંકા ગાળામાં એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈની ફ્લાઈટમાં કોરોના પોઝિટિવ દર્દીને લાવવાની ઘટના બની છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે તે એર ટ્રાવેલર્સની મુશ્કેલી ઘટાડવા પ્રયાસ કરી રહ્યું છે અને શુક્રવારે તે પોતાની ચાર શારજાહની ફ્લાઈટ્સનું સંચાલન કરશે.
દુબઈ નાગરિક ઉડ્ડયન સત્તાધીશોએ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ સેવા 2જી ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની જયપુર-દુબઈની ફ્લાઈટમાં 4 સપ્ટેમ્બરે એક કોરોના સંક્રમિત થયેલા મુસાફરે ટ્રાવેલ કરતા દુબઈએ કડક પગલું ભર્યું છે. નોંધનીય છે કે એક સપ્તાહમાં આ બીજો બનાવ છે જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં કોરોના દર્દીએ મુસાફરી કરી હોય.
યુએઈ સરકારના નિયમો મુજબ ભારતથી દુબઈ આવતા દરેક પેસેન્જરે કોવિડ 19 નેગેટિવનું સર્ટિફિકેટ સાથે લાવવાનું રહે છે. મુસાફરીના 96 કલાક પહેલા પેસેન્જરે પોતાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી આ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


