CIA ALERT

BIHAR : નીતીશ કેબિનેટનું પ્રથમ વિસ્તરણ

Share On :

બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ પુરું થયું છે. આ સાથે જ કોને કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તે અંગેની અટકળોનો અંત આવી ગયો છે. બિહાર વિધાનસભાની 2020માં યોજાયેલી ચૂંટણી બાદ નીતીશ કુમારની આગેવાનીમાં નવી સરકાર રચાયાના 85 દિવસ પછી પ્રથમ મંત્રીમંડળનું મંગળવારે વિસ્તરણ થયું છે. મંત્રીમંડળમાં 17 મંત્રીઓએ શપથ લીધા છે. ભાજપના 9 ધારાસભ્યો તેમજ જેડીયુના 8 સભ્યોએ શપણ લીધા છે. નીતીશ સરકારમાં મુખ્યમંત્રીને બાદ કરતા 13 મંત્રીઓ છે જે પૈકી જેડીયુના ચાર અને ભાજપના સાત છે. જ્યારે વીઆઈપી કોટાના એક-એક મંત્રી છે. બપોરે 12.30 કલાકે રાજભવનના રાજેન્દ્ર મંડપમાં શપથવિધિ યોજાઈ હતી.

સૌપ્રથમ ભાજપના એમએલસી શાહનવાઝ હુસૈને થપણ ગ્રહણ કર્યા હતા. તેમણે ઉર્દૂમાં શપણ લીધા હતા. ત્યારબાદ ભાજપના નીતિન નવીન, સમ્રાટ ચૌધરી, સુભાષ સિંહ, આલોક રંજન, પ્રમોદ કુમાર, જનકરામ અને નારાયણ પ્રસાદે મંત્રી પદના શપથ લીધા હતા. આ ઉપરાંત જેડીયુમાંથી શ્રવણ કુમાર, મદન સૈની, લેસી સિંહ, મહેશ્વરી હજારી, સંજય કુમાર ઝા, જમા ખાન, સુમિત કુમાર સિંહ, જયંત રાજ અને સુનીલ કુમારે શપથ ગ્રહણ કર્યા હતા.  

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :