અમદાવાદમાં જગન્નાથની 144મી રથયાત્રા નીકળશે
અમદાવાદની 144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સરકારે લીલીઝંડી આપી દીધી છે. આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠક તેની જાહેરાત કરવામાં આવી હતી. આમ રથયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાશે.
કેબિનેટની બેઠકમાં રથયાત્રાને કોરોના ગાઇડલાઇન અને અમુક શરતોને આધિન મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. બેઠકમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે રથયાત્રાને લઈને ગૃહવિભાગ અને મંદિર ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે રથયાત્રાનો પ્લાન બનાવશે.
અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત આવેલા જગદીશ મંદિરેથી અષાઢી બીજના રોજ નીકળતી રથયાત્રા 12 જુલાઈએ નીકળશે. મંદિરનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રથયાત્રાના પ્રારંભ પહેલા વિધિ કરવામાં આવે છે. જેમાં પ્રથમ રથ આગળની ધૂળ કે માટી સોનાના તારવાળી સાવરણીથી દૂર કરીને રોડ સ્વચ્છ કરવામાં આવે છે. આ વિધિ રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવે છે ત્યારે વિજય રૂપાણી આ વિધિ કરશે. આ માટે તેમણે આમંત્રણ પણ સ્વીકાર્યું છે. જો કે રથયાત્રાની લંબાઈનો નિર્ણય શહેર પોલીસ દ્વારા કરશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
