CIA ALERT
October 14, 20201min4300

૧૫મી ઓકટોબરથી વૈષ્ણોદેવીની યાત્રા : 7000 શ્રદ્ધાળુઓને મંજૂરી

Share On :

વૈષ્ણોદેવીમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર છે કે ૧૫મી ઓક્ટોબરથી અહીં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા સાત હજાર કરી દેવામાં આવી છે. તેમ છતાં અહીં આવનારા શ્રદ્ધાળુઓને ઘણો ત્રાસ વેઠવો પડી રહ્યો છે, કારણ કે તેઓને પ્રવેશદ્વાર લખનપુરમાં કોરોનાની તપાસના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે. આશ્ર્ચર્યની વાત છે કે સંપૂર્ણ દેશમાં અનલોક-૫ હેઠળ કોઇ પણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવેશ કરવા પર કોઇ પણ પ્રકારની તપાસ નથી થઇ રહી, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં કોરોનાની તપાસ કરાવવા માટેનો આદેશ રજૂ કરવામાં આવ્યો છે. જમ્મુમાં પ્રવેશ કરનારાઓને લખનપુરમાં તથા કાશ્મીર જનારા લોકોને લોઅર મુંડામાં કોરોનાની તપાસના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી વૈષ્ણોદેવી આવનારાઓની સંખ્યા પાંચ હજાર હતી, જેમાં ૪૦૦૦ પ્રદેશના અને એક હજાર બહારના શ્રદ્ધાળુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ પ્રતિબંધો દૂર કરાયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :