સંસદ સત્ર શરૂ થતા પહેલાના ટેસ્ટીંગમાં 17 સાંસદ કોરોના પોઝિટિવ

સોમવારના રોજ સંસદના ચોમાસા સત્રની શરૂઆત થઈ ચૂકી છે, સંસદ શરૂ થાય તે પહેલા લોકસભાના 17 સાંસદ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાંસદોનો કોરોનાનો રિપોર્ટમાં 13 અને 14 સપ્ટેમ્બરના રોજ સંસદ ભવનમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમિત 17 સાંસદોમાં સૌથી વધારે 12 સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે. YRS કોંગ્રેસના બે, શિવસેના, DMK અને RLPના એક-એક સાંસદનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે સંસદના ચોમાસા સત્ર શરૂ થાય તે અગાઉ નિયમ બનાવવામાં આવ્યો હતો કે તમામ કર્મચારી તેમજ સાંસદ સભ્યોનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને પરિસરમાં પ્રવેશ કરવા માટેની પરવાનગી આપવામાં આવશે. તેમજ તે રિપોર્ટ 72 કલાકથી વધારે પહેલાનો ન હોવો જોઈએ.
ચોમાસુ સત્ર શરૂ થાય તે અગાઉ બંને સદનોના ઘણા બધા ઉંમરલાયક સાસંદોએ કોરોના મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે સત્ર શરૂ થાય તે અગાઉ ગાઈડલાઈન્સનું પાલન થશે તો પણ દરેક સમયે પરિસરમાં ઓછામાં ઓછા 2000 લોકો હાજર રહેશે.
નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસની મહામારી શરૂ થઈ ત્યારથી ચોમાસુ સત્ર શરૂ થયુ ત્યાં સુધીમાં કેન્દ્રીય મંત્રી અને બંને સદનોના કુલ મેળવીને લગભગ બે ડઝન જેટલા સાંસદો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. લોકસભામાં તમિલનાડુના સાંસદ એચ વસંતકુમારનું તો કોરોના વાયરસના સંક્રમણના કારણે નિધન પણ થઈ ચૂક્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


