ગુજરાતના તમામ બ્રિજ પર લાગશે ખાસ રેલિંગ

તાજેતરમાં બોટાદ પાસે રંઘોળા નજીક પુલ પરથી ટ્રક નીચે પડતાં ૩૨ વ્યક્તિઓનાં મૃત્યુ બાદ ગુજરાત સરકાર જાગી છે અને ગુજરાતના હાઇવે પર આવેલા ૮૯૫ જેટલા બ્રિજ પર ખાસ પ્રકારે ડિઝાઇન કરેલી રેલિંગ લગાવશે. ગુજરાત સરકારે આ માટે ૧૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. અકસ્માત સમયે પુલ પરથી રેલિંગ તોડીને વાહન નીચે પડે છે એવા કિસ્સા ઘટાડી શકાય એ માટે ગુજરાતમાં સ્ટેટ હાઇવે પર આશરે ૮૯૫ નાળાં પુલો તથા પંચાયતહસ્તકના રસ્તા પર આશરે ૯૮૯ નાળાં પુલો પર પાઇપ રેલિંગના સ્થાને ક્રૅશ બૅરિયર લગાડવામાં આવશે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે ‘અકસ્માત અટકાવવા માટે અને વાહનચાલકોની સલામતીને સુદૃઢ બનાવવા ખાસ પ્રકારની ડિઝાઇન કરેલી રેલિંગ રોડ-સેફ્ટી માટે મંજૂર કરવામાં આવી છે. એ ડિઝાઇન પ્રમાણે ગુજરાતના ૮૯૫ પુલો પર તબક્કાવાર રેલિંગ લગાવવામાં આવશે. સિમેન્ટ કૉન્ક્રીટના બેઝવાળી લોખંડની રેલિંગથી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.’ ૮૯૫ બ્રિજ પર ખાસ પ્રકારની ડિઝાઇન કરેલી રેલિંગ લગાવવામાં આવશે ૧૨૫ કરોડ રૂપિયાની સરકારે જોગવાઈ કરી છે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
