Union Budget : STTમાં ફેરફારથી ઓપ્શન બાયર્સને મોટી રાહત
બજેટમાં ઓપ્શન બાયર્સને મોટી રાહત આપવામાં આવી છે. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) હવે કોન્ટ્રાક્ટના મૂલ્ય પર નહીં, પરંતુ સ્ટ્રાઇક પ્રાઇસ અને સેટલમેન્ટ પ્રાઇસ વચ્ચેની તફાવતની રકમ પર લાગુ પડશે. ભારતમાં 85થી 90 ટકા બિઝનેસ કામકાજ ઓપ્શન સેગમેન્ટમાં થાય છે અને આ દરખાસ્તથી ઓપ્શન બાયરને રાહત મળી શકે છે. ઓપ્શન બાયર્સને ઈન-ધ-મની એક્સપાયર થતાં કોન્ટ્રાક્ટમાં એસટીટીમાં મોટી રાહત થશે.
પરંતુ તેનાથી ઈન-ધ મની ઓપ્શન સેલર્સને ફટકો પડી શકે છે. જોકે આ દરખાસ્તથી ઓપ્શન સેગમેન્ટના વોલ્યુમ અને ભાગીદારીને વેગ મળશે. ઈન-ધ-મની એક્સપાયર થતાં ઓપ્શનના કિસ્સામાં ટ્રેડર્સને ટ્રેડિંગની છેલ્લા કલાકમાં પોઝિશન સુલટાવવાની ફરજ પડશે નહીં.
હાલમાં ખરીદીના કિસ્સામાં ઓપ્શનના ઈન-ધન મની સ્ટ્રાઇકના સમગ્ર લોટ વેલ્યૂ પર STT લાગુ પડે છે, જેનો રેટ હાલમાં 0.125 ટકા છે.
ઉદાહરણ તરીકે
11,800ના સ્ટ્રાઇક પ્રાઇસ સાથેનો નિફ્ટી ઓપ્શન, જે ₹11,900ના સ્પોટ પ્રાઇસટે એક્સપાયરીના દિવસે ઈન-ધ-મની એક્સપાયર થાય તો તેનો ખર્ચ લોટ દીઠ આશરે ₹1,116 (11900 x 75 x 0.125%) થાય છે. પરંતુ નવા ચાર્જ સાથે આ જ કોન્ટ્રાક્ટનો એસટીસી ખર્ચ લોટ દીઠ માત્ર ₹9.375 થશે. ઓપ્શન સેલિંગના કિસ્સામાં હાલમાં એસટીટીનો રેટ 0.017 ટકા છે, જે ઓપ્શન પ્રીમિયમ પર લાગે છે, તેથી સૂચિત ફેરફારથી તેને અસર થશે નહીં.
ઈન-ધ-મની ઓપ્શનમાં ઊંચા એસટીટીને કારણે કેટલાક સ્ટ્રાઇક પ્રાઇસ સામાન્ય રીતે એક્સપાયરી સેટલમેન્ટ ડેએ ડિસ્કાઉન્ટે ટ્રેડ થાય છે, કારણ કે બાયર્સ ઊંચા એસટીટીને ટાળવા માટે તુલનાત્મક રીતે નીચા પ્રીમિયમે ઓપ્શન વેચવાનો પ્રયાસ કરે છે. તેથી આ લાભ ઓપ્શન સેલર્સને મળતો હતો, કારણ કે બાયર્સ એટીસી ચાર્જ કરતાં વધુ લાભ ન મળે ત્યાં સુધી બાયર્સ ઓપ્શનનું વેચાણ કરતાં નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now