CIA ALERT
26. April 2024
June 29, 20191min2700

હરિદ્વારમાં સુરતના 3 યુવાનો ડૂબ્યાં

Share On :
Print Friendly, PDF & Email

ચારધામની યાત્રાએ ગયેલા સુરતના વાડી ફળિયા ખાતે રહેતા ફેનિલ ઠક્કર, કૃણાલ કોસાડીયા, જેનિસ પટેલ યુવકોનું ઉત્તરાખંડની નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. આ સાથે તેને બચાવવા કૂદેલા અન્ય બે મિત્રોનો હજુ સુધી પતો લાગ્યો નથી. તેમની શોધખોળ ચાલી રહી છે.

સુરતના વાડીફળિયામાં રહેતા 15 યુવાનો ચારધામની યાત્રાએ ગયા હતા. તેઓ શુક્રવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં રિવર રાફ્ટિંગ માટે પહોંચ્યા હતા. તે દરમિયાન ફેનિલ ઠક્કર નામનો યુવક નદીમાં લપસી પડ્યો. આ દરમિયાન ફેનિલને બચાવવા માટે તેના અન્ય બે મિત્ર જેનીસ પટેલ અને કૃણાલ કોસાડીયા પણ નદીના વહેતા પાણીમાં કૂદી પડ્યા હતા. નદીનું વહેણ એટલું હતું કે એક ને બચાવવા માટે પડેલા બીજા બંને યુવકો પણ તણાઈ ગયા હતા. મોડી સાંજે એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે બીજા બેની શોધખોળ ચાલી રહી હતી.

થોડા કલાક બોદ ફેનિલ ઠક્કરનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો. જ્યારે જેનીસ અને કૃણાલની શોધ હાથ ધરવામાં આવી પરંતુ મોડી રાત સુધી તેમનો પત્તો લાગ્યો નહોતો. સુરતના 3 યુવાનો ડુબી જવાની ઘટનાને કારણે વાડીફળિયા સમેત સમગ્ર સુરતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :