પુટિન સામે બળવો પોકારનારા પ્રિગોઝિન સહિત 10ના વિમાન દુર્ઘટનામાં મોત, અનેક તર્કવિતર્ક
વેગનર મર્સીનરીઝના વડા પ્રિગોઝિનનું પ્લેન આર્મીએ તોડી પાડતા તેનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. પ્રિગોઝિન સહિત કુલ સાત જણને લઈ જતું પ્લેન ક્રેશ થયું હતુ, એમ રશિયાના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ જણાવ્યું હતું. જ્યારે વેગનર સાથે લિંક્ડ ટેલિગ્રામ ચેનલનો ગ્રે ઝોનનો દાવો છે કે ઉત્તરી મોસ્કોમાં ત્વેર રિજયનમાં એર ડિફેન્સે તેના પ્લેનને તોડી પાડયું છે
પ્રિગોઝિનને લઈ જતું એમ્બ્રેર જેટ મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું હતું. તેમા ત્રણ ક્રુ સાથે સાત પેસેન્જર હતા. રશિયાના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓનું કહેવું છે કે પ્રિગોઝિનનું પેસેન્જર પ્લેન તૂડી પડયુ છે અને તેમા તેનું મોત થયું હોવાની પ્રબળ સંભાવના છે. જો કે કેટલાક મજાકમાં કહે છે કે આ રશિયાનું ચંદ્રયાન થોડી છે જે ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલા તૂટી પડે.

પ્રિગોઝિને જુનમાં રશિયાના પ્રમુખ પુતિન સામેના નિષ્ફળ બળવાની વાટાઘાટ કરી હતી. ગ્રે ઝોને જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓએ પ્લેન ક્રેશ થયું તે પહેલા બે મોટા અવાજ સાંભળ્યા હતા અને બે મોટી ધુમ્રસેર પણ જોઈ હતી. તાસ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે પ્લેન જમીનને અથડાતા આગમાં સપડાઈ ગયું હતું. ચાર મૃતદેહો મળી આવ્યા છે. એર ક્રાફ્ટ હવામાં અડધો કલાક રહ્યુ હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
