CIA ALERT
August 5, 20181min5180

એક સુશાંતસિંહ 12 પાત્રોની ભૂમિકા ભજવશે

Share On :

સુશાંત સિંહ રાજપુત પહેલી વાર અનોખો અને અલગ પ્રયાસ કરવા જઇ રહ્યો છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા જાણવા મળ્યું છે કે સુશાંત તેના આગામી પ્રોજેક્ટમાં એક સાથે 12 પાત્રો ભજવવા જઇ રહ્યો છે. તમને પણ આ સાંભળીને નવાઇ લાગી ને! જી હા, સુશાંત તેની એક વેબ સિરીઝમાં 540 બીસી થી 2015 સુધીના કાળમાં ભારત દેશમાં જેટલા મહાન વ્યક્તિઓની ગાથાને વણી લેવામાં આવશે.

ખાસ વાત એ છે કે સુશાંત તેના એક મિત્ર સાથે મળીને નિર્માણ આ વેબ સિરીઝનું નિર્માણ કરવા જઇ રહ્યો છે. અભિનયની સાથે હવે સુશાંત નિર્માણ ક્ષેત્રે પણ થોડું ધ્યાન આપવા માગે છે. આ સિરીઝમાં ડૉ. એ.પી. જે. અબ્દુલ કલામ, ચાણક્ય અને રવિન્દ્રનાથ ટાગોર જેવી મહાન ઐતિહાસિક હસ્તીઓના પાત્રમાં સુશાંત અભિનય કરતો જોવા મળશે. સુશાંત ઇન્ડસ્ટ્રીના વર્સટાઇલ ઍક્ટર છે. તેણે ભારતીય ક્રિકેટર એમ. એસ. ધોનીના જીવન પર બનેલી ‘એમ. એસ. ધોની: ધ અન્ટોલ્ડ સ્ટોરી’માં ધોનીનું પાત્ર ભજવીને સમીક્ષકોની ખૂબ જ વાહવાહી લૂંટી હતી.

હવે તે અભિષેક કપૂર દિગ્દર્શિત ‘કેદારનાથ’માં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન સાથે જોવા મળશે. આ ઉપરાંત તેને અક્ષય કુમારે નકારેલી ફિલ્મ ‘મુગલ’ માટે પહેલા આમિર ખાનનું નામ અખબારોમાં ચમકતું હતું, ત્યારબાદ સુશાંતને પણ આ ફિલ્મ ઓફર કરવામાં આવી એવી ખબરોએ જોર પકડ્યું હતું.

જોકે, આ બધી ફક્ત અફવાઓ જ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં રણબીર કપૂરનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. 2019ની નાતાલમાં રિલીઝ થવા જઇ રહેલી ‘મુગલ’ ગુલશન કુમારના જીવન પર આધારિત ફિલ્મ હશે. હવે જોવું એ રહ્યું કે ‘સંજુ’ કર્યા બાદ હજુ એક બાયોપિકમાં રણબીર જોવા મળશે કે નહીં!

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :