સોપારી પર આર્ટ : સુરતી સિટીઝન પવન શર્માની અદભૂત કારીગરી
પાન મસાલા અને પૂજા બન્નેમાં વપરાતી સોપારીના ફળ ઉપર કોતરણી કરીને જુદા જુદા મિનિએચર તૈયાર કરી રહેલા સુરતી સિટીઝન પવન શર્માના આર્ટની વિશ્વભરમાં પ્રશંસા થઇ રહી છે.
માર્ચથી જુન સુધી લાગૂ થયેલા લૉકડાઉનના સમય દરમિયાન મિનિએચર સુરતી આર્ટિસ્ટ પવન શર્માએ સોપારીના ફળ ઉપર ચિત્રો બનાવવાનું શરૂ કર્યું હતું. પવન શર્માએ અત્યાર સુધીમાં સોપારી ફળ પર રામમંદિર, ગણેશજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ચિત્રો કોતરણી કરીને ઉપસાવ્યા છે.
सूरत के मिनिएचर आर्टिस्ट ने सुपारी पर बनाई अद्भुत कलाकृतियां

ફક્ત લોક ડાઉનના સમયમાં જ પવન શર્માએ સોપારી પર કોતરણીને શોખ તરીકે વિકસાવ્યો અને હવે એ પ્રોફેશનલ આર્ટીસ્ટ તરીકે આગળ વધી રહ્યા છે. પવન શર્માએ સોપારી પર પાંદડાંઓનાં બૉક્સ, શંખ શેલ સ્ટૅન્ડ્સ, કોરોના-વૉરિયર્સ, નાનાં લઘુચિત્ર, પાણીનાં વાસણ જેવાં લગભગ ૬૦ ચિત્રો કોતર્યાં છે.
સોપારી સખત હોવાથી એના પર ચિત્રો કોતરવામાં ખૂબ મહેનત અને સમય માગી લે છે. એ વિશે પવન શર્માનું કહેવું છે કે શરૂઆતમાં બેથી ત્રણ કલાકનો સમય લેતાં આ ચિત્રો હવે માત્ર ૧૫ મિનિટમાં તૈયાર કરી શકાય છે.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


