October 11, 20201min5510

ગીરનારની ટોચ પર પહેલા નોરતાંથી શરૂ થશે મોરારીબાપૂની શ્રોતા વગરની પહેલી રામકથા

Share On :

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગિરનાર પર્વતની ટોચ પર આવેલા કમંડળ કુંડ ખાતે આગામી સપ્તાહથી શરૂ થઇ રહેલા શારદીય નવરાત્રિના પહેલા નોરતાથી રામાયણી સંત પૂ.શ્રી મોરારિબાપુની રામકથા શરૂ થશે. મોરારીબાપૂની આ રામકથા હાલ ભારે ચર્ચાસ્પદ બની છે કેમકે મોરારિબાપુની આ પહેલી એવી રામકથા હશે જેમાં એક પણ શ્રોતાજન હાજર નહીં રહે. કોવીડ-19ની સ્થિતિને કારણે પૂ. બાપૂની આ કથાનું ટીવી પ્રસારણ, વેબકાસ્ટ થશે.

મોરારિબાપુએ કહ્યું કે ‘કોરોનાકાળમાં આ ચીવટ રાખવી અનિવાર્ય છે. કથામાં માત્ર વાદ્યકારો અને ટેક્નિશ્યન જ ઉપસ્થિત રહેશે, એક પણ શ્રોતાને હાજર રહેવા દેવામાં નહીં આવે.’

ગત માર્ચ માસમાં લાગૂ કરાયેલા લૉકડાઉન પછી પહેલી વાર મોરારિબાપુ ઘરની બહાર નીકળીને કથા કરી રહ્યા છે. શ્રોતાગણ વિના તેમણે આ સમયકાળમાં અન્ય પાંચ કથા કરી હતી, પણ એ રામકથા તેમના નિવાસસ્થાનેથી થઈ હતી અને આ રામકથા માટે બાપુ તલગાજરડામાંથી પહેલી વાર બહાર આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :