ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજનનાં મુહૂર્તો
- વાક્બારશ (વાઘબારસ) રમા એકાદશી (કેળા)- આશ્ર્વિન વદ- ૧૧: સોમવાર, તા. ૧-૧૧-૨૦૨૧
- ધનતેરસ- આશ્ર્વિન વદ-૧૨: મંગળવાર, તા. ૨-૧૧-૨૦૨૧
- કાળી ચૌદસ- આશ્ર્વિન વદ-૧૩: બુધવાર, તા. ૩-૧૧-૨૦૨૧
- દિવાળી, નરક ચતુર્દશી, મહાવીર નિર્વાણ દિન (જૈન)- આશ્ર્વિન વદ-૩૦: ગુરુવાર, તા. ૪-૧૧-૨૦૨૧
- બેસતું વર્ષ, વિક્રમ સંવત ૨૦૭૮, જૈન વીર સંવત ૨૫૪૮ પ્રારંભ- કાર્તિક સુદ-૧: શુક્રવાર, તા. ૫-૧૧-૨૦૨૧
- ભાઈબીજ- કાર્તિક સુદ-૨: શનિવાર, તા. ૬-૧૧-૨૦૨૧
- લાભપાંચમ, જૈન જ્ઞાન પાંચમ- કાર્તિક સુદ-૫: મંગળવાર, તા. ૯-૧૧-૨૦૨૧———
ચોપડા લાવવા, ગાદી બિછાવવી લક્ષ્મીપૂજન (મહાલક્ષ્મીપૂજન)
ધનતેરસ, ધન્વંતરિ પૂજનઆશ્ર્વિન વદ- ૧૨: મંગળવાર, તા. ૨-૧૧-૨૦૨૧ ગુરુદ્વાદશી, ભોમપ્રદોષ, યમદીપદાન, બુધ માર્ગી થઈને તુલામાં ક. ૦૯-૫૧, પ્રદોષકાળ વ્યાપીની તેરસ હોવાથી આજ રોજ ધનપૂજન કરવું. ધન્વંતરિ ભગવાનનું પૂજન, સુવર્ણ – રજત સિક્કા, આભૂષણ – રત્નો આદિ ધનનું પૂજન કરવું. શ્રી યંત્ર – લક્ષ્મીયંત્ર, સ્વ. હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત રિદ્ધિ સિદ્ધિ દાયક શ્રી ગણેશયંત્ર આદિની સ્થાપના પૂજા, ઈષ્ટદેવના મંત્રાદિ અનુષ્ઠાનનું માહાત્મ્ય છે.
મુહૂર્ત સમય આ પ્રમાણે છે:
- (૧) સવારે ક. ૦૯-૩૧ થી ક. ૧૦-૫૭ (ચલ)
- (૨) સવારે ક. ૧૦-૫૭ થી ક. ૧૨-૨૨ (લાભ)
- (૩) સવારે ક.૧૨-૨૨ થી ક. ૧૩-૪૮ (અમૃત)
- (૪) બપોરે ક. ૧૫-૧૩ થી ક. ૧૬-૩૮ (શુભ)
- (૫) સાંજે ક. ૧૯-૩૮થી ક. ૨૧-૧૩ (લાભ)
- (૬) રાત્રે ક. ૨૨-૪૭થી ક. ૨૪-૨૨ (શુભ)
- (૭) મધ્યરાત્રે ક. ૨૪-૨૨ થી ક. ૨૫-૫૭ (તા.૩) (અમૃત)
- (૮) મધ્યરાત્રિ પછી ક. ૨૫-૫૭ થી ક. ૨૭-૩૧
- (તા.૩) (ચલ)ધનતેરસ પર્વના સ્થિર લગ્નો:(૧) સવારે ક. ૦૭-૪૮ થી ક. ૧૦-૦૩ (વૃશ્ર્ચિક)(૨) બપોરે ક. ૧૩-૫૮થી ક. ૧૫-૩૫ (કુંભ)(૩) સાંજે ક. ૧૮-૫૩ થી રાત્રે ક. ૨૦-૫૩ (વૃષભ)(૪) મધ્યરાત્રે ક. ૨૫-૨૨ થી ક. ૨૭-૪૧ (તા. ૩) (સિંહ) (૫) પ્રદોષયુક્ત ધનતેરસના યોગમાં (મુંબઈ સૂર્યાસ્ત ક. ૧૮-૦૪) સમયે પવિત્ર ગોરજ સમયમાં———–
- કાળી ચૌદશ – (મહાકાલી-મહારાત્રિ)આશ્ર્વિન વદ-૧૩, બુધવાર, તા. ૩-૧૧-૨૦૨૧શિવરાત્રિ, ઉલ્કાદર્શન, દીપદાન, કુલધર્મ, ભદ્રા સવારે ક. ૦૯-૦૨ થી રાત્રે ક. ૧૯-૩૫. ઈષ્ટ દેવતાનું પૂજન, મંત્રજાપ, અનુષ્ઠાન, કાળી ચૌદશની પૂજા પરંપરા અનુસાર યોગ્ય મુહૂર્તમાં કરવી. મહાકાલી માતાની પૂજા, હનુમાનજીની પૂજા, પીપળાનું પૂજન. ———-
- દિવાળી મહાપર્વ-૨૦૭૭શ્રી શારદા પૂજન (ચોપડા), (મહાસરસ્વતી) પૂજન આશ્ર્વિન વદ-૩૦, ગુરુવાર, તા. ૪-૧૧-૨૦૨૧(ચિત્રા નક્ષત્ર સવારે ક. ૦૭-૪૧ સુધી, પછી સ્વાતિ ક. ૨૯-૦૬ સુધી), પછી વિશાખા, ચંદ્ર તુલા રાશિમાં. નરક ચતુર્દશી, ચંદ્રોદય ક. ૦૫-૪૯. દર્શ અમાસ, અભ્યંગ સ્નાન, અન્વાધાન, મહાવીર નિર્વાણ દિન (જૈન). ઉલ્કાદર્શન, કેદારગૌરી વ્રત. (દક્ષિણ ભારત). લક્ષ્મી વ ઈન્દ્ર પૂજા.દીપોત્સવી પર્વ મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતીની પૂજા દ્વારા આવનારા વર્ષના વધામણાં લેવાનો પવિત્ર અવસર છે. કંપનીના, વ્યક્તિગત હિસાબનાં ચોપડા તથા ઉપયોગી વાંચનના પુસ્તકો, એકાઉન્ટિંગ માટે વપરાતા કોમ્પ્યુટરનું પૂજન તથા સ્ટેશનરીનું પૂજન, ધનપૂજન આજના દિવાળીના પવિત્ર પર્વમાં, શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણ દ્વારા અવશ્ય કરવું. પ્રદોષકાળ અને નિષિધકાળ વ્યાપિની અમાસ હોવાથી ચોપડાપૂજન કરવું.
- ચોપડા પૂજનનાં મુહૂર્તો આ પ્રમાણે છે:
- (૧) સવારે ક. ૦૬-૪૧ થી ક. ૦૮-૦૭ (શુભ)
- (૨) સવારે ક. ૧૦-૫૭ થી ક. ૧૨-૨૨ (ચલ)
- (૩) બપોરે ક. ૧૨-૨૨ થી ક. ૧૩-૪૮ (લાભ)
- (૪) બપોરે ક. ૧૩-૪૭ થી ક. ૧૫-૦૩ (અમૃત)
- (૫) સાંજે ક. ૧૬-૩૮ થી ક. ૧૮-૦૩ (શુભ)
- (૬) સાંજે ક. ૧૮-૦૩ થી ક. ૧૯-૩૮ (અમૃત)
- (૭) રાત્રેે ક. ૧૯-૩૮ થી ક. ૨૧-૧૩ (ચલ)
- (૮) મધ્ય રાત્રે ક. ૨૪-૨૨ થી ક. ૨૫-૫૭ (લાભ)
- (૯) પરોઢિયે ક. ૨૭-૩૨ થી ક. ૨૯-૦૭ (તા. ૩)(શુભ)
- (૧૦) પરોઢ્યિે ક.૨૯-૦૭ થી ક.૩૦.૪૧ (તા.૩) (અમૃત)
- (૧૧) પ્રદોષકાળ રાત્રે ક. ૧૮-૫૬ થી ક. ૧૯-૦૮
- (૧૨) નિશિથકાળ મધ્યરાત્રે ક. ૨૩-૫૮ થી ક.૨૪-૪૮————
- દિવાળી પર્વના સ્થિર લગ્નો:
- (૧) સવારે ક. ૦૭-૪૦થી ક. ૦૯-૫૫ (વૃશ્ર્ચિક)
- (૨) બપોરે ક. ૧૩-૫૧ થી બપોરે ક. ૧૫-૨૮ (કુંભ)
- (૩)સાંજે ક. ૧૮-૪૫ થી રાત્રે ક. ૨૦-૪૫ (વૃષભ)
- (૪) મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૪ થી ક. ૨૭-૨૩ (તા. ૫) (સિંહ)
- (૫) વૃષભ સ્થિર લગ્ન, સ્થિર કુંભ નવમાંશ સાંજેે ક. ૧૮-૫૭ થી ક. ૧૯-૦૯
- (૬) વૃષભ સ્થિર લગ્ન વૃષભ સ્થિર નવમાંશ રાત્રેે ક. ૧૯-૩૬ થી ક. ૧૯-૪૯
- (૭) વૃષભ સ્થિર લગ્ન સિંહ સ્થિર નવમાંશ રાત્રે ક. ૨૦-૧૬ થી ક. ૨૦-૨૦
- (૮) સિંહ લગ્ન, વૃષભ સ્થિર નવમાંશ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૮ થી ક. ૨૫-૪૩. (તા. ૫મી)
- (૯) સિંહ લગ્ન, સિંહ સ્થિર નવમાંશ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૧ થી ક. ૨૬-૨૫. (તા. ૫મી)
- (૧૦) સિંહ લગ્ન વૃશ્ર્ચિક સ્થિર નવમાંશ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૪ થી ક. ૨૭-૦૮ (તા. ૫મી)
- નૂતન વર્ષાભિનંદન શુક્રવાર, તા. ૫-૧૧-૨૦૨૧, નૂતન વર્ષારંભવિ. સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, મહાવીર જૈન સંવત્સર ૨૫૪૮. દિવાળી પડવો, બલિપ્રતિપદા, ગોવર્ધન પૂજા, ગૌક્રિડા, અન્નકૂટ, કાર્તિક શુક્લાદિ, અભ્યંગ સ્નાન, વિંછુડો પ્રારંભ ક. ૨૧-૦૩. નક્ષત્ર વિશાખા ક. ૨૬-૨૨ સુધી, પછી અનુરાધા, ચંદ્ર તુલામાં ક. ૨૧-૦૩ સુધી, પછી વૃશ્ર્ચિકમાં.મિતિ નાખવી – કાંટો બાંધવો – નવા વર્ષનો વેપાર પ્રારંભ કરવોમુહૂર્ત:(૧) સવારે ક. ૦૬-૪૨ થી ક. ૦૮-૦૭ (ચલ)(૨) સવારે ક. ૦૮-૦૭ થી ક. ૦૯-૩૨ (લાભ)(૩) સવારે ક. ૦૯-૩૨ થી ક. ૧૦-૫૭ (અમૃત)(૪) બપોરે ક. ૧૨-૨૨ થી ક. ૧૩-૪૭ (શુભ)————–
- લાભ પાંચમ-જૈન જ્ઞાન પાંચમકાર્તિક સુદ-૫, સંવત ૨૦૭૭, મંગળવાર, તા. ૯-૧૧-૨૦૨૧સૌભાગ્ય પાંચમ, પાંડવ પંચમી, કુલાચાર પ્રમાણે આજ રોજ પવિત્ર પર્વયોગમાં મિતિ નાખવી, કાંટો બાંધી નવા વર્ષનો વેપાર પ્રારંભી શકાય છે.(૧) સવારે ક. ૦૯-૩૩ થી ક. ૧૦-૫૭ (ચલ)(૨) સવારે ક. ૧૦-૫૭ થી ક. ૧૨-૨૨ (લાભ)(૩) બપોરે ક. ૧૨-૨૨ થી ક. ૧૩-૪૭ (અમૃત)(૪) બપોરે ક. ૧૫-૧૩ થી સાંજે ક. ૧૬-૩૭ (શુભ)
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now