CIA ALERT
April 21, 20191min3810

મમતાની ઊંઘ હરામ થઈ ગઈ છે: મોદી

Share On :

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર હુમલોે કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણીના બે તબક્કાના મતદાન બાદ સ્પીડબ્રેકર દીદીની ઊંઘ ઊડી ગઈ છે. મા, માટી અને માનુષના નામે જનતાને છેતરી રહ્યાનો આક્ષેપ મોદીએ કર્યો હતો. દીદીએ ટીએમસીના પ્રચાર માટે પડોશી દેશમાંથી લોકોને બોલાવ્યા છે જે શરમજનક છે. બંગલાદેશના અભિનેતા ફરદોશ તેના પક્ષનો પ્રચાર કરી રહ્યો છે, આવું ભારતમાં પ્રથમવાર બન્યું છે.

પાકિસ્તાનના બાગલકોટ સ્થિત આતંકી કેમ્પ પર હવાઈ હુમલાનો મમતા બેનરજી પુરાવા માગે છે તેની ટીકા કરતા મોદીએ કહ્યું હતું કે ચીટફંડ કૌભાંડ પાછળના લોકોના પુરાવા દીદીએ લાવવા જોઈએ.

એનડીએ સરકાર આવ્યા બાદ સરહદપારથી થતી ઘૂસણખોરીને અટકાવાશે, એમ તેમણે કહ્યું હતું. 23 મે બાદ સરહદ પર વાડ બાંધવા અડચણરૂપ તત્ત્વોને વાસ્તવિકતાનું ભાન કરાવાશે.

શરણાર્થીઓને નાગરિકતાનો દરજ્જો આપવા એનડીએ સરકાર પ્રતિબદ્ધ છે. દેશના વિભાજન વખતે અમુક લોકો અન્ય દેશમાં રહ્યા હતા, પરંતુ ધર્મ અને આસ્થાના કારણે તેઓ બીજા દેશમાં હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ લોકો ક્યાં જશે? એમ તેમણે પ્રશ્ર્ન કર્યો હતો. તમામ ભારતીય અને સરકારની ફરજ છે કે આવા લોકોને બચાવવામાં આવે. સંસદમાં નાગરિકતા બિલ પસાર કરવા એનડીએ પ્રતિબદ્ધ છે. અમુક પાર્ટી આ બિલ મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરે છે.

ટીએમસી, કૉંગ્રેસ અને ડાબેરીઓ વિભાજનની નીતિ અપનાવે છે. અમે જોડવાની અને સાથે લઈને ચાલવામાં માનીએ છીએ.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :