CIA ALERT
August 5, 20211min307

કુમાર બિરલાએ VI નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું

Share On :

કુમાર મંગલમ બિરલાએ વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે.

વોડાફોન આઈડિયાના બોર્ડે તેમનું રાજીનામું મંજૂરી કરી લીધું છે. કંપનીએ આ અંગે બીએસઈને જાણકારી આપી છે. કંપનીએ કહ્યું છે કે, બિરલાના રાજીનામા બાદ હિમાંશુ કપાણિયાને એકમતે નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવાયા છે.

હિમાંશુ કમાણિયા હાલમાં વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. કપાણિયા વોડાફોન આઈડિયાના બોર્ડમાં આદિત્ય બિરલા ગ્રુપના નોમિની છે. તેમને ટેલિકોમ ઈન્ડસ્ટ્રીનો 25 વર્ષનો અનુભવ છે. તેમને દુનિયાની દિગ્ગજ ટેલિકોમ કંપનીઓના બોર્ડનો પણ અનુભવ છે. ત ગ્લોબલ જીએસએમએના બોર્ડમાં પણ બે વર્ષ સુધી રહ્યા છે. તેઓ બે વર્ષ માટે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીઓએએલ)ના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

કમાણિયા હાલમાં ટેલિકોમ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ડિજિટલ ઈકોનોમી પર ફિક્કીની કાઉન્સિલના ચેરમેન છે. કંપનીએ કહ્યું કે, નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીની ભલામણ પર બોર્ડે સુશીલ અગ્રવાલને આદિત્ય બિરલા ગ્રુપના નોમિનીના રૂપમાં એડિશનલ ડાયરેક્ટર નિયુક્ત કરાયા છે.

વોડાફોન આઈડિયા ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ફંડ મેળવવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહ્યા છે. કામકાજ ચાલુ રાખવા માટે પણ તેની પાસ પૂરતા રૂપિયા નથી. તેણે સરકારને એજીઆરની મોટી રકમ ચૂકવવાની છે. 31 ઓગસ્ટ, 2018માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરનું વિલનીકરણ થયું હતું. ત્યારથી આ કંપની સતત ખોટમાં છે. તેના પર 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :