India : આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેની માર્ગદર્શિકા

ભારતમાં પ્રવેશી રહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેની સરકારે બુધવારે જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે ૨૫ ઑક્ટોબરથી, વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા (હુ)એ મંજૂર કરેલી કોવિડ-૧૯ની રસી માટે જે દેશો સાથે સહમતિ સધાઇ છે, તેવા દેશમાંથી આવતા અને રસી લીધેલા પ્રવાસીઓને હવાઇમથક છોડવાની પરવાનગી આપવામાં આવશે અને એમણે હૉમ ક્વોરેન્ટાઇન થવાની કે જરૂર નથી.
જોકે, એમણે કોવિડ-૧૯ માટેનું આરટી-પીસીઆર નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું પડશે.
જો આંશિક રીતે રસી લીધી હોય અથવા તો રસી લીધી જ ન હોય એવા પ્રવાસીએ આવ્યા બાદ કોવિડ-૧૯ ટેસ્ટ માટેના સેમ્પલ્સ આપવા પડશે અને ત્યાર બાદ જ એમને હવાઇમથક છોડવાની પરવાનગી અપાશે, સાત દિવસ સુધી હૉમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે, ભારતમાં આવ્યાના આઠમા દિવસે ફરીથી ટૅસ્ટ કરાવવા પડશે અને જો રિપોર્ટ નેગેટિવ આવે તો ત્યાર બાદના સાત દિવસ સુધી એમણે જાતે પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવાની રહેશે.
કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય આગમન મામલે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ કે ત્યાર બાદ જાહેર કરાયેલી અન્ય કોઇપણ માર્ગદર્શિકામાં આ સુધારો ઉમેરવાનો રહેશે.
વૈશ્ર્વિકસ્તરે વધેલા રસીકરણના કાર્યક્રમ અને રોગચાળાના બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં લઇને ભારતની આંતરરાષ્ટ્રીય આગમન બાબતની માર્ગદર્શિકામાં સુધારો કરાયો હોવાની વાત મંત્રાલયે કહી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


