બેરુતમાં થયેલા બ્લાસ્ટમાં 73 લોકોના મોત, 3700 લોકોને ઈજા
લેબનાના પાટનગર બેરુતમાં મંગળવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં લગભગ 78 લોકોના મોત થયા છે અને 3,700થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. લેબનાનની હેલ્થ મિનિસ્ટ્રીએ લગભગ 78 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સ્વાસ્થ્ય મંત્રી હમદ હસે આ ભીષણ દુર્ઘટનાને દેશ માટે ઈમરજન્સી જાહેર કરી છ અને ચેતવણી આપી છે કે મૃત્યુઆંક વધી શકે છે.

સ્વાસ્થ્ય મંત્રી હસને જણાવ્યું છે કે, બેરુત પોર્ટના એક વેર હાઉસમાં થયેલા વિસ્ફોટમાં એટલા વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે કે હોસ્પિટલમાં હવે જગ્યા નથી. આ વિસ્ફોટમાં જે લોકો માર્યા ગયા છે તેમાં તેમની પાર્ટીના મહાસચિવ નિજાર નજરિયાન પણ સામેલ છે. ધ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્ટિફિટ રિસર્ચે જણાવ્યું છે કે, આ ભીષણ વિસ્ફોટ એમોનિયમ નાઈટ્રેટને કારણ થયું છે જે એક વેર હાઉસમાં રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વિસ્ફોટનો અવાજ સમગ્ર દેશમાં સાંભળવા મળ્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે, વેર હાઉસની અંદર 6 વર્ષથી 2,750 ટન એમોનિયમ નાઈટ્રેટ રાખેલું હતું. તેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવતો હતો. લેબનાનના રાષ્ટ્રપતિ માઈકલ આઉને ટ્વીટ કરીને જણાવ્યું છે કે, સુરક્ષાની વ્યવસ્થા વગર 2,750 ટન એમોનિયમ નાઈટ્રેટ રાખનારા લોકોની સામે કડક કાર્યવાહી કરાશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


