CIA ALERT
June 6, 20181min12460

SC-STને બઢતીમાં અનામત આપવા લીલીઝંડી

Share On :

સુપ્રીમના ફેંસલાથી કેન્દ્રને હાશકારો * એએસજી સિંહે ટાંક્યા ઘણા ખટલાના દાખલા

અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) વિભાગના કર્મચારીઓને પદોન્નતિમાં અનામત મામલે ‘કાયદા અનુસાર’ જ બઢતી અને પદોન્નતિ આપવા સુપ્રીમ કોર્ટે તા.5મી જૂને મંજૂરીનું મત્તું માર્યું હોવાનું જાણવા મળે છે.

ભારતની જુદી જુદી હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પસાર કરેલા વિવિધ આદેશોને લીધે પદોન્નતિની સમૂળગી પ્રક્રિયા બંધ થઈને આગળ ધપવા અસમર્થ હતી. વર્ષ ૨૦૧૫માં તો સુપ્રીમ કોર્ટે આવી જ એક મેટરમાં ‘સ્ટેટ્સ કૉ’ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

ભારત સરકારે કહ્યું હતું કે દિલ્હી, બોમ્બે, પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટ દ્વારા એસસી કે એસટી સમુદાયના કર્મચારી માટે પદોન્નતિ માટેના ચુકાદાની સામે કરેલી અપીલમાં અલાયદા નિર્ણયો આપ્યા હતા.

કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા વધારાના સોલિસિટર જનરલ (એએસજી)ને જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ તથા અશોક ભૂષણનો સમાવેશ કરતી એક વેકેશન બેન્ચે કહ્યું હતું કે “અમે કહીશું કે બઢતી-પ્રમોશન માટે તમે કાયદા મુજબ આગળ ધપી શકો છો.

તા.5મી જૂને સુનવણી વેળાએ એએસજીએ સરકારી નોકરીમાં પ્રમોશનમાં ક્વોટાના મુદ્દે ખટલાઓ અને કાનૂન વર્ણવ્યા હતા. એમ. નાગરાજ કેસમાં સુપ્રીમ કોર્ટનો ૨૦૦૬નો ચુકાદો લાગુ પડશે નહીં.

તેમણે ૧૯૯૨ના એક ખટલાનું ઉદાહરણ આપ્યું હતું. તેમાં ઈન્દ્ર સાવ્હેની તેમ જ અન્યોની સામે યુનિયન ઓફ ઈન્ડિયા ( મંડલ પંચ ચુકાદા તરીકે વધુ જાણીતું બન્યું હતું) હતું. તેમ જ ૨૦૦૫ના ઈ. વી. ચીન્નૈય્યાહ વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય હતું. આ કેસમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) વિભાગના સંપન્ન મલાઈદાર સ્તરનો મામલો હતો. આ બંને ખટલાના ચુકાદાની જેમ જ સરકારી નોકરીમાં એસસી તથા એસટીની બઢતી-પદોન્નતિ માટે પણ સંપન્ન ક્રીમી લેયરની પરિકલ્પના કે વર્ગની સામાન્ય કલ્પના લાગુ પડી શકે એમ નથી.

એએસજી સિંઘે સમગ્ર મામલો સમજાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈ કોર્ટના ગયા વર્ષના ૨૩મી ઑગસ્ટના ચુકાદાને પડકાર્યો હોવાની અરજી હાલમાં બેન્ચ સમક્ષ છે. ૧૬મી નવેમ્બર, ૧૯૯૨થી એસસી અને એસટી કર્મચારીઓને પાંચ વર્ષથી વધુ સમય પ્રમોશનમાં અનામત રાખવાની મુદત વિસ્તારતા સરકારી આદેશને સુપ્રીમ કોર્ટે રદબાતલ ઠેરવ્યો હતો.

એએસજીએ આ અગાઉ આ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટ અને વિવિધ રાજ્યની અદાલતોએ આપેલા આદેશોના સંદર્ભ ટાંક્યા હતા. તે પૈકી એક આદેશ ૧૭મી મેએ જસ્ટિસ કુરિયન જોસેફના વડપણ હેઠળની બેન્ચે પસાર કરતાં કહ્યું હતું કે અમારી પાસેની અરજી અનિર્ણિત અવસ્થામાં હોવાની બાબત કેન્દ્ર સરકાર માટે પ્રમોશન માટે પગલાં તેના માર્ગમાં રોડાં અને અંતરાયો બનીને ન હોવા જોઈએ. હાલમાં પ્રમોશન કેવી રીતે કરાય છે? એવો સવાલ બેન્ચે કરતાં એએસજીએ કહ્યું કે “નથી થતાં. બધું થંભી ગયું છે અને આગેકૂચ નથી. આ જ તો સમસ્યા છે હું સરકાર છું તથા બંધારણીય આદેશ અનુસાર પ્રમોશન દેવા ઈચ્છું છું, એમ બેન્ચે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હું ૧૭મી મે જેવો આદેશ આપવામાં આવે એવી માગણી કરું છું.

આ અગાઉ સુપ્રીમની અન્ય એક બેન્ચે જણાવ્યું હતું કે પાંચ જજની બંધારણીય બેન્ચ આ મુદ્દાની ચકાસણી કરીને વિશિષ્ટ માહિતી આપે.

તેમણે બંધારણની કલમ ૧૬ (૪એ)ની જોગવાઈઓ અને વિશિષ્ટ બાબતોને પણ ટાંકીને પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું.

એમ. નાગરાજ કેસમાં આવેલા ૧૧ વર્ષના ચુકાદા અંગે ફેરવિચારણા અને પુન:સમીક્ષા કરવાની આવશ્યકતા છે કે કેમ? તે અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરવા ગયા વર્ષની ૧૫મી નવેમ્બરે સુપ્રીમની ત્રણ જજની એક બેન્ચ સહમત થઈ હતી.

અપૂરતું, અક્ષમ તેમ જ અસમર્થ પ્રતિનિધિત્વ હોવા અંગે સૌપ્રથમ તો માહિતી ડેટા એકઠો કર્યા વગર જ પદોન્નતિ- પ્રમોશનમાં અનામત આપતા દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને અટકાવી હતી.

વર્ષ ૧૯૯૨ના ઈન્દિરા સ્વાહનેય કેસમાં એસસી અને એસટી માટે ૧૬-૧૧-૧૯૯૨થી પાંચ વર્ષના સમયગાળા માટે એસસી તથા એસટી સમુદાય માટે પ્રમોશનમાં અનામત રાખવાની મંજૂરી સુપ્રીમની નવ જજની બેન્ચે આપી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :