નિરવ મોદી બાદ તેનો સાવકો ભાઈ પણ ઠગાઈ કરીને ભાગી ગયો છે. નિરવ મોદીનો ભાઈ એક સેફહાઉસમાંથી 50 કિલોનું સોનું લઈને ગાયબ થઈ ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે CBIએ પીએનબી કૌભાંડમાં નિરવ મોદી સામે કેસ દાખલ કર્યાનું માલુમ પડતાની સાથે જ તે ગાયબ થઈ ગયો હતો. તપાસ અધિકારીઓ મુજબ નેહલ જે ઘરેણા લઈને ફરાર થઈ ગયો તેને એક રીટેલ આઉટલેટમાં વેચવા માટે રાખવામાં આવ્યાં હતાં..
પંજાબ નેશનલ બેંકના કૌભાંડનો જેવો જ ભાંડો ફૂટ્યો કે નેહલને લાગ્યું કે તપાસ એજન્સીઓ દુબઈ સુધી પણ પહોંચી શકે છે. તેવામાં તે ઘરેણાં લઈને સુરક્ષિત સ્થળે ભાગી ગયો છે. જણાવી દઈએ કે મેહુલ ચોક્સીની એક કંપની ગીતાંજલિ જેમ્સ સાથે નેહલ જોડાયેલો હતો. પંજાબ નેશનલ બેંકના કૌભાંડ મામલે સીબીઆઈએ નેહલને આરોપી નથી બનાવ્યો.
મની લોન્ડ્રિંગ મામલામાં ઈડીએ નેહલની ભૂમિકા હોવાનું પણ જણાવ્યું હતું. ગુરુવારે ઈડીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં નેહલ સહિત 24 આરોપીના નામ સામેલ હતાં. પંજાબ નેશનલ બેંક કૌભાંડના મામલે એક કેસ દાખલ થયાના કેટલાક દિવસો પહેલાં નીરવનો આખો પરિવાર ભારતથીં ભાગી ગયો હતો.
નિરવ મોદીએ નેહલને પંજાબ નેશનલ બેંક સાથે વાતચીત કરવા માટે મોકલ્યો હતો જેથી કરીને પૈસાની ચૂકવણી માટે થોડો સમય મળી શકે. નેહલે પંજાબ નેશનલ બેંક પાસે વધુ લોનની માગણી કરી હતી જેથી પહેલેથી બાકી પૈસા ચૂકવી શકાય. આ દરમિયાન તેણે વિદેશી રોકાણ અને આગામી આપીઓ દ્વારા ચૂકવણી કરવાનો વાદો કર્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
